પ્રલોભનો આપીને હિન્દુઓને ખ્રિસ્તી બનાવતા ૨ પાદરી પકડાયા

582

નવસારી જિલ્લાના ગણદેવી પોલીસ દ્વારા ધર્માંતરણને લઈ ધરપકડ કરવામાં આવી છે, જે ગુજરાતનો પ્રથમ બનાવ બન્યો છે.

ગુજરાતમાં ધર્માંતરને લઈને ધરપકડનો પ્રથમ બનાવ બન્યો છે. જેને કારણે હવે ધર્માંતર કરાવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. છેલ્લા કેટલાક વર્ષોથી ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ દ્વારા હિન્દૂ હળપતિઓને ગેરકાયદે ધર્માન્તર કરવાના કિસ્સાઓ છાશવારે સામે આવતા હતા. જેમાં ધાર્મિક અને સાંસારિક લાભો થશે એવા પ્રલોભનો આપીને ધર્માન્તરણ કરાતું હતું. આ બાબતને ધ્યાને લઈને નવસારીમાં ૨ પાદરીઓની ધરપકડ કરવામાં આવી છે. જે ધર્માંતર મુદ્દે ગુજરાતની ધરપકડ ની પ્રથમ ઘટના છે તેવું બીલીમોરા સીપીઆઈ એમ. બી. રાઠોડે જણાવ્યું.

Previous articleકડજોદરા ગામમાં દિકરીના લગ્નના જમણવાર પહેલા ૧૦૦ ગાયનું પૂજન કરાયું
Next articleગાંધીનગરના તમામ સીસીટીવી મુખ્ય સર્વર સાથે જોડાશે