જાફરાબાદ તાલુકાના શિયાળબેટ નજીક સવાઈપીરમાં બોટ સળગી

708

જાફરાબાદ તાલુકાના શિયાળબેટ નજીક સવાઈપીરની દરગાહમાં દર્શન કરવા કિનારે બોટ લાંગરી ગયા હોય અને અચાનક આગ લાગી જતાં બોટ સળગી જવા પામેલ છે. આ સવાઈપીરની દરગાહ જે પીપાવાવ પોર્ટથી નજીક થાય છે. જેથી પીપાવાવ મરીન પીએસઆઈનો સંપર્ક સાધતા મરીન પીએસઆઈ શર્મા દ્વારા એવું જણાવવામાં આવેલ છે કે, આ બોટ જાફરાબાદની છે. અમોને કંટ્રોલમાંથી ફોન આવેલ હોય જેથી મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ દ્વારા બોટ લઈને આગ બુજાવવા ગયેલ પરંતુ આગ બુઝાઈ શકેલ નહી. આ અંગે પ્રાથમિક વિગત એવી પ્રકારી છે કે જાફરાબાદના લોકો માનતા કરવા સવાઈપીર આવેલા તેઓ આ બોટનું એનકરીંગ કરીને માનતાએ ગયા ત્યાં અચાનક આ બોટમાં આગ લાગી ગયેલ હતી. આ અંગે જાફરાબાદ મરીન પી.એસ.આઈ. જી.પી.જાડેજાનો સંપર્ક સાધતા તેઓએ તપાસ શરૂ હોય આગ કઈ રીતે લાગી અને તે અંગેના કારણોની તપાસ થઈ રહેલ છે. જે આવ્યેથી તમોને જણાવીશું આમ બપોરનો બનાવ હોય અને રાત્રીના સાડા આઠ સુધી કોઈ હક્કિત પોલીસ પાસે ન હોય તે કેવું કહેવાય.

આ અંગે જારાફબાદના બોટ માલિક સાદીક ઈબ્રાહિમઅંગારિયા સાથે વાતચીત કરતા તેઓએ જણાવેલ કે અમો સવારે ૯-૦૦ કલાકે જાફરાબાદથી નિકળીને સવાઈપીર ૧૧-૩૦ વાગ્યે પહોંચ્યા હતા અને ત્યાં અમારી માનતા હોય ૧૦૦ થી ૧પ૦ જણા આ માનતામાં આવેલા અને ત્યાં અમો સૌ પ્રસાદ લેતા હોય તેવા સમયે લગભગ ૩-૧પ મીનીટે બોટમાં અચાનક આગ લાગી ગયેલ જેને બુઝાવવાના પ્રયત્નો કોસ્ટગાર્ડ અને મરીન પોલીસે કરેલ પરંતુ કારગત નિવડેલ નહીં. આ અમારી બોટ અમો માછીમારોમાં ઉપયોગ કરતા હતાં. અને આશરે રપ લાખ જેટલી રકમની આ બોટ હતી. તેવું જણાવેલ હતું અને આગ કઈ રીતે લાગી તે પ્રશ્ન અકબંધ રહેવા પામેલ છે.

Previous articleવેગડાજી ભીલની મુર્તિની અનાવરણવિધિ કરાશે
Next articleમંત્રી સ્મૃતિ ઈરાની આજે ભાવનગરમાં