સિહોર ભાજપ દ્વારા શહીદોને શ્રધ્ધાંજલિ

539

જમ્મુ કાશ્મીરમાં સેના પરના આજ સુધીના સૌથી મોટા ફિદાયીન હુમલામા કેન્દ્રીય અનામત પોલીસ બળના ૪૩ થી વધુ જવાનોના પ્રાણ લીધા છે. આ ઘટનાથી દેશભરમાં સન્નાટો ફેલાયોછે હુમલાની જવાબદારી લેનાર આતંકી સંગઠન જૈશ એ મહમ્મદ દ્વારા વિસ્ફોટક ભરેલું વાહન અથડાવી કાફલાને નિશાન બનાવ્યું અને ઘટનાને અંજામ આપ્યો છે. સામાન્ય આતંકી ગતિવિધિ બાદ આજે જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પુલવામાં પાસે આતંકવાદી હુમલામાં શહીદ થયેલા વીર જવાનો ને મોડી રાત્રીના સિહોર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા વડલા ચોક ખાતે માં ખોડિયારના સાનિધ્યમાં મૌન પાળી કેન્ડલ માર્ચથી શ્રદ્ધાજલી પાઠવી હતી.

Previous articleએસ.વી. પ્રા. શાળાએ વેલેન્ટાઈન-ડેએ માતૃપિતૃની વંદના કરી
Next articleઆક્રોશ રેલી –  કેન્ડલ માર્ચ યોજાઈ