પાનિપત ફિલ્મને લઇને હાલ કૃતિ સનુન મરાઠી શિખે છે

667

બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી કૃતિ સનુન હાલના દિવસોમાં મરાઠી ભાષા શિખી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ તે પાનિપત ફિલ્મમાં કામ કરી રહી છે. જેના કારણે તે મરાઠી ભાષા શિખી રહી છે. કૃતિ ગંભીરતાપર્વક ધ્યાન આપી રહી છે. કૃતિ હાલમાં પોતાની નવી ફિલ્મ લુકાછુપીને લઇને પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ બાદ તે આશુતોષ ગોવારીકરની મોટી ફિલ્મ પાનિપતમાં કામ કરવા જઇ રહી છે. ફિલ્મમાં તેની પાસે મોટી ભૂમિકા આવી ગઇ છે. જેથી તે તૈયારીમાં લાગી ગઇ છે. જાણકારી મુજબ ફિલ્મમાં તે મરાઠા યોદ્ધા સદાશિવ રાવની પત્નિ પાર્વતી બાઇના રોલમાં નજરે પડનાર છે. સદાશિવ રાવે પાનિપત યુદ્ધમાં અફઘાનિસ્તાનના શાસકો સામે લડાઇ લડી હતી. પોતાની તૈયારી અંગે વાત કરતા કૃતિ કહે છે કે તે નોર્થ ઇન્ડિયન પંજાબી યુવતિ છે. જેથી તેના માટે મરાઠી ફિલ્મમાં કામ કરવાની બાબત સરળ ન હતી. જેથી તે હાલમાં મરાઠી ભાષા શિખી રહી છે. જો કોઇ વ્યક્તિ સેટ પર મરાઠી ભાષા બોલે છે તો તે તેના મલતબને લઇને માહિતી મેળવતી રહે છે. કૃતિનુ કહેવુ છે કે તે ફિલ્મને લઇને આશાવાદી છે. આ ફિલ્મ પિરિયડ ડ્રામા ફિલ્મ છે. આશુતોષ મોટા ભાગે ઇતિહાસ પર આધારિત ફિલ્મ બનાવવા માટે જાણીતા રહ્યા છે. તેમની ફિલ્મો સુપરહિટ પણ સાબિત થઇ છે.  મરાઠી ટિચરની સાથે તે ભાષા પર પ્રભુત્વ જમાવવા માટે પ્રયાસ કરી રહી છે. ફિલ્મમાં કૃતિ ઉપરાંત અર્જુન કપુર, સંજય દત્ત પણ કામ કરનાર છે. મોટા સ્ટાર સાથે રોલ કરવાને લઇને તે આશાવાદી છે. ફિલ્મ મામલે જાણકાર લોકોનુ કહેવુ છે કે વહેલી તકે ફિલ્મનુ શુટિંગ રવામાં આવનાર છે.

Previous articleજડબાતોડ જવાબ એ જ શહિદોને શ્રદ્ધાંજલિ
Next articleનિતિન ગડકરી પર ફિલ્મ બનશે