રાણપુર શાળાની બાળાઓ દ્વારા શ્રધ્ધાજંલિ

588

જમ્મુ કાશ્મીરના પુલવામાં ભારતના સૈનિકો ઉપર ત્રાસવાદીઓએ કરેલા હુમલા માં ૪૦ થી વધુ સૈનિકો શહીદ થતા સમગ્ર દેશ શોક માં ગરકાવ થઈ ગયો છે ત્યારે બોટાદ જીલ્લા ના રાણપુર માં આવેલી ગીતાંજલી કેમ્પસ સ્કુલ ના ૧૫૦૦ વિદ્યાર્થીઓએ શહીનો ને અશ્રુભીની આંખે શ્રધાંજલી આપી બે મીનીટ મૌન પાળ્યુ હતુ અને સૌ વિદ્યાર્થીઓએ વિર શહીદ સૈનિકો અમર રહો ના નારા લગાવ્યા હતા સ્કુલ ના વિદ્યાર્થીઓએ અને સ્કુલ ના સ્ટાફ દ્વારા શ્રધાંજલી અપાતા ભાવવીભોર દ્રશ્યો સર્જાયા હતાં.

Previous articleવલભીપુરમાં શહિદોને શ્રધ્ધાંજલિ
Next articleઉમરાળા ભાજપ દ્વારા મૌન રેલી