પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપો નહી તો ગાદી છોડોઃ તોગડિયા

622

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના મહામંત્રી પ્રવીણ તોગડીયાએ પુલવામામાં જવાનો પર થયેલ આંતંકી હુમલાને લઈને પ્રેસ કોન્ફરન્સનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. પ્રવીણ તોગડીયાએ ભાજપની કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યુ હતુ કે ભાજપની ખોટીનીતીના કારણે ૪૦ જવાનો શહીદ થયા છે.

નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા કહ્યુ હતુ કે મોદી શપથ વિધિમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રીને બોલાવે છે.

પાકિસ્તાનના પ્રધાનમંત્રીના જન્મ દિવસે વગર આમંત્રણે કેક ખાવા માટે પાકિસ્તાન જાય છે. મોદી સરકારે આ ૫ વર્ષમાં પાકિસ્તાન તરફી વ્યવહાર રાખવાથી દેશના જવાનો શહીદ થયા છે. મોદી સરકારે પાકિસ્તાન ને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો શા માટે આપ્યો તેવા અનેક પ્રહારો પ્રવીણ તોગડીયાએ કર્યા હતા. હુમલામાં વપરાયેલ આરડીએક્સ કેવી રીતે આવ્યો?

હુમલાને લઈ પ્રવિણ તોગડિયાના મોદી સરકાર સામે પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપો નહી તો ગાદી છોડો, ખેડૂતનો એક દિકરો આપઘાત કરે છે, બીજો જેહાદીના હાથે મરે છે,

Previous articleપાટનગરના સંસ્કૃતિકુંજમાં ૧૮મીથી દસ દિવસ વસંતોત્સવ
Next articleકેન્ડલ માર્ચ પર પથ્થરમારામાં ૩૫ લોકોની ધરપકડ, ૨૦૦ લોકોના ટોળા સામે ફરિયાદ