સેનાએ દિલ્હીની રાહ જોવાને બદલે ડાયરેક્ટ જવાબ આપવો જોઈએ : રઝા મુરાદ

770

બોલીવુડના જાણીતા કલાકાર રઝા મુરાદે આજે વાપીમાં એક ટૂંકી મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે પુલવામામાં થયેલ આતંકવાદી હુમલાને વખોડયો હતો. અને તેમણે જણાવ્યું હતું કે, હવે જેમ આપણી આંખમાંથી પાણી વહાવડાવ્યું છે તેમ તેની આંખમાંથી પણ પાણી કાઢવાનો સમય આવ્યો છે.રજા મુરાદ અનુસાર,’અહિંસા સારી વાત છે પરંતુ હવે બોર્ડર પર અહિંસાને ભૂલી જવી જોઈએ’.

રઝામુરાદે વધુમાં જણાવ્યું હતું કે,”આતંકવાદ કેન્સરની માફક છે. તેને જડ નાબૂદ કરવો જોઈએ. પાકિસ્તાન તેની હરકતોથી ક્યારેય નહીં સુધરે તેને તેની ભાષામાં જવાબ આપવો પડશે. અમેરિકાની જેમ દુનિયાને હલાવતો જવાબ આપવો પડશે. આ સાથે જ દેશની સેનાને છુટ્ટો દૌર આપવો જોઈએ સેનાના જવાનોએ દિલ્હીની રાહ જોવાની બદલે ટ્રિગર પર આંગળી રાખી જવાબ આપવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે, પુલવામાં હુમલામાં ૪૦ સીઆરપીએફ જવાનો શહીદ થઇ ગયા છે. દેશમાં હાલમાં તમામા લોકો આક્રોશમાં છે સોશિયલ મીડિયા યૂઝર્સ પુલવામા હુમલાનો બદલો લેવા પોસ્ટ કરી રહ્યા છે. આ મામલે દેશનાં તમામ રાજનીતિક સંગઠનો એક થઇ ગયા છે.

Previous articleકચ્છમાં એક સાથે ૨૦૦થી વધુ ગાયના મોતથી અરેરાટી ફેલાઈ
Next articleકોંગ્રેસના ધારાસભ્યોએ પુરો પગાર શહિદોને આપ્યા બાદ શરમમાં ભાજપના ધારાસભ્યોએ અડધો પગાર આપ્યો