શિવાજી જયંતિ નિમિતે બાઈક યાત્રા

1030

છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે આજે બજરંગદળ, વિશ્વ હિંદુ પરિષદ ભાવનગર, છત્રપતિ શિવાજી સેવા ટ્રસ્ટ તથા ભારત રક્ષા મંચ દ્વારા શહેરમાં બાઈક યાત્રા કાઢવામાં આવી હતી. સાંજે નિલમબાગ ખાતેથી પ્રસ્થાન થઈને બાઈક યાત્રા ચાવડીગેટ, વિજય ટોકીઝ, પાનવાડી ચોક, જશોનાથ, ગંગાજળીયા તળાવ, ખારગેટ, મામાકોઠા, દિવાનપરા, હલુરીયચ, ક્રેસન્ટ, શિશુવિહાર, ગીતથા ચોક, મહિલા કોલેજ થઈને સુભાષનગર ભગવાનેશ્વર મહાદેવ મંદિરે સંપન્ન થઈ હતી. બાઈક રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતાં.

Previous articleભરતનગરની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મના ગુનામાં ૧૦ વર્ષની સખ્ત કેદ
Next articleપાકિસ્તાન પીએમના નિવેદનને જાવેદ અખ્તરે ‘નો બોલ’ ગણાવ્યો