કોંગ્રેસના ધારાસભ્યોએ જ કહ્યું પરેશ ભાઈએ ભૂલ કરીઃ નિતીન પટેલ

659

આ મુદ્દે ઉપ મુખ્યમંત્રી નિતીન પટેલે કહ્યું હતું કે વિધાનસભામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના ખર્ચ અને પ્રવાસીઓ માટે જ્યારે માહિતી આપતો હતો ત્યારે વિપક્ષના નેતાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને ભંગારનો ભૂકો કહ્યો હતો. અમારા તમામ સભ્યો એ તેમને માફી માંગવા કહ્યું હતું. તેમણે સરદારનું અપમાન કર્યું છે. વિધાનસભા ના રેકોર્ડ પર પણ પરેશ ધનાણીએ ત્રણ વખ સ્ટેચ્યુ ઓફ યુનિટીને ભંગારનો ભૂકો કહ્યું હતું. કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ પણ અમને કહ્યું કે પરેશ ભાઈએ ભૂલ કરી છે. કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ કહ્યુ કે તેમણે માફી માગવી જોઈએ. આવનારા દિવસોમાં કોંગ્રેસને આ અપમાન મામલે નુકશાનનો સામનો કરવો પડશે.

Previous articleસરદારને લોખંડના ભંગાર સાથે સરખાવ્યાનો વિવાદઃ પરેશ ધાનાણી એક દિવસ માટે સસ્પેન્ડ
Next articleસ્ટેચ્યૂ ઓફ યુનિટીના સવાલ પર બબાલ, ગૃહની કાર્યવાહી મુલતવી