દામનગરમાં ખોડલધામ સમિતિની બેઠક યોજાઈ

695

દામનગર નવજ્યોત વિદ્યાલય ખાતે ખોડલધામ સમિતિ ની બેઠક મળી જેમાં બિન અનામત આયોગ ના હેમરાજભાઈ ગજેરા ખોડલધામ ટ્રસ્ટ ના વસંતભાઈ મોવલિયા બી એલ રાજપરા સાહેબ રમેશભાઈ કાથરોટિયા સુરેશભાઈ દેસાઈ રિધેશ નાકરાણી અરજણભાઈ કોરાટ સહિત ના અગ્રણી ઓ દ્વારા શિક્ષણ આરોગ્ય કૃષિ સંગઠન સામાજિક પરંપરા જન જાગૃતિ અંગે મનનીય વક્તવ્ય આપ્યું હતું વિવિધ યોજના ઓ આર્થિક ઉન્નતિ સહિત ની વિસ્તૃત માહિતી આપી હતી ખોડલધામ સમિતિ ની આ મીટીંગ માં દામનગર લાઠી લીલીયા  બાબરા અમરેલી ઢસા ગઢડા સ્વામી ના દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં થી ખૂબ મોટી સંખ્યા માં ખોડલધામ સમિતિ ના કન્વીનરો હોદેદારો સ્વંયમ સેવકો એ હાજરી આપી હતી અને ખોડિયાર માતાજી ની આરતી ઉતારી પુલવા ના શહીદો ને શ્રધાંજલિ આપી હતી.

Previous articleપરબ્રહ્મની વાણી : વચનામૃત
Next articleમાહી કંપની દ્વારા વધુ ઈન્સેન્ટિવ પ્રાપ્ત કરનાર દૂધ ઉત્પાદકોને સન્માનિત કરાયા