એસ.પી. જયદિપસિંહ રાઠોડે ભાવનગરમાં ચાર્જ સંભાળ્યો

1565

ભાવનગર જિલ્લા પોલીસ વડા પી.એલ.માલની બદલી થતા તેમનાં સ્થાને અમદાવાદથી જયદિપસિંહ એસ. રાઠોડની નિમણુંક થતા આજે સોમવારે જયદિપસિંહ એસ.પી.તરીકેનો ભાવનગર ખાતે ચાર્જ સંભાળ્યો હતો ભાવનગર આવતા જ સીટી ડીવાયએસપી સહિત તમામ ડિવીઝનનાં પોલીસ ઈન્સ્પેકટર સહિત અધિકારીઓએ તેઓને શુભેચ્છા પાઠવી હતી.

એસ.પી. જયદિપસિંહ રાઠોડે ચાર્જ સંભાળ્યા બાદ આપેલી મુલાકાતમાં ભાવનગર શહેર જિલ્લાનાં લોકોને પોલીસને સહકાર આપવા જણાવવા સાથે ભાવનગરનાં હત્યા સહિતનાં અનડીટેકટ ગુનાઓ ઉકેલવા માટે અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી કરાશે તેમજ ભાવનગરમાં ગુનાખોરીનું પ્રમાણ ઘટાડવા સતત પ્રયત્નો કરાશે અને શાંતિથી લોકો રહે નેવુ વાતાવરણ ઉભુ કરવામાં આવશે તેમ જણાવેલ.

Previous articleઢસા નજીક ઈકો કાર પુલ પરથી ખાબકી – ૧નું મોત
Next articleબોરતળાવને ઉંડુ ઉતારવાની કામગીરીનો પ્રારંભ