ઈંગ્લેન્ડ વિરુદ્ધ ક્લીન સ્વીપના ઈરાદાથી ઉતરશે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ

550

નવી દિલ્હીઃ સિરીઝના પહેલા પોતાની નામે કરીને આત્મવિશ્વાસથી ભરપૂર ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ગુરૂવારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી ત્રીજી અને અંતિમ વનડેમાં જીતની સાથે યજમાન ટીમના સૂપડા સાફ કરવાના ઉરાદાથી ઉતરશે. મિતાલી રાજની આગેવાનીમાં ભારતીય ટીમે પ્રથમ વનડે મેચમાં વિશ્વ ચેમ્પિયન ઈંગ્લેન્ડને ૬૬ રનથી હરાવ્યા બાદ બીજી મેચમાં સાત વિકેટથી પરાજય આપતા સિરીઝમાં ૨-૦ની અજેય સરસાઈ મેળવી લીધી છે.

સૌથી મહત્વની વાત છે કે આઈસીસી મહિલા ચેમ્પિયનશિપમાં ચાર મહત્વના અંક મેળવી લીધા છે જેનાથી ૨૦૨૧ વિશ્વકપમાં સીધુ ક્વોલિફાઇ કરવાની તેની આશાને ફાયદો મળી શકે છે. ભારતની પાસે વધુ બે પોઈન્ટ મેળવવાની તક છે. ત્રીજી વનડે માટે ભારત પોતાની વિનિંગ કોમ્બિનેશનમાં કોઈ ફેરફાર કરશે નહીં.

ઓપનિંગ બેટ્‌સમેન અને આઈસીસીની વર્ષની સર્વશ્રેષ્ઠ ખેલાડી સ્મૃતિ મંધાના શાનદાર ફોર્મમાં છે. બીજી મેચમાં તેની ૬૩ રનની મદદથી ભારતે સિરીઝમાં વિજયી લીડ મેળવી હતી. વનડે ક્રિકેટમાં સર્વાધિક રન બનાવનારી અનુભવી મિતાલી રાજે છેલ્લા બે મેચોમાં ૪૪ અને ૪૭ રન બનાવ્યા હતા.

Previous articleસૌરભ ચૌધરી અને મનુ ભાકરે મિક્સ્ડ ડબલ્સ ઈવેન્ટમાં જીત્યો ગોલ્ડ
Next articleICCની બેઠકમાં BCCIએ ટીમ ઈન્ડિયાની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો, મળ્યું આશ્વાસન