દામનગરમાં શક્તિ પુજન ભંડારા નિમિત્તે ધર્મસભાનું થયું આયોજન

645

દામનગર કૈલાસવાસી વિમળાબા ના શક્તિપુજન ભંડારા પ્રસંગે યોજાયેલ ધમઁસભામા સંતો,મહંતો, અગ્રણી ઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ જેમનુ વિરગીરી, મહિપતગીરી, સતીષગીરી, તેમજ પરિવારજનો દ્વારા સ્વાગત સહ સન્માન કરવામાં આવેલ, પ્રાસંગિક પ્રવચન કથાકાર મુકેશભારથી ઉમરીયા, કુવરગીરીબાપુ  શંભુદળ યુવા બ્રિગેડ ઓલ ઇન્ડિયા સંગઠન ના રાષ્ટ્રીય અધ્યક્ષ,દેવગીરીબાપુ રાણીગપરા, નટવરલાલ ભાતીયા કોલમીસ્ટ પત્રકાર  તેમજ ધમઁસભાના અધ્યક્ષ ઉદયગીરીબાપુ દ્વારા કરવામાં આવેલ,તેમજ ઉપસ્થિત તમામ લોકો દ્વારા પુલવામા થયેલ આતંકી હુમલાના શહિદો ને શ્રદ્ધાસુમન  અપઁણ કરીને બે મીનીટનું મૌન રાખેલ, તેમજ રાત્રીના નામી અનામી કલાકારો દ્વારા સંતવાણી ની જમાવટ કરવામાં આવેલ, કૈ.વા.વિમળાબા ના પુત્ર સતિષગીરી દ્વારા દામનગર ગોસ્વામી સમાધીસ્થાન અખાડાના રુ.એકત્રીસ હજારનું દાન આપવામા આવેલ.

Previous articleપાક. ઘૂંટણિયે, ભારતને ‘અભિનંદન’
Next articleમનોવિજ્ઞાન વિષયનું વ્યાખ્યાન યોજાયું