શહેરમાં વહેલી સવારે નરોડા-દહેગામ પર અકસ્માતની ઘટના બની હતી. વહેલી સવારે ૫ વાગ્યાની આસપાસ ટ્રક અને જીપ વચ્ચે અકસ્માત થવાની ઘટના બની હતી. જેમાં જીપનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ અકસ્માતમાં ૨ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને ૧ વ્યક્તિને ઈજા પહોંચી છે. જીપ દ્વારા પાછળથી ટ્રકમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં જીપનો પાછળનો ભાગ ટ્રકમાં ઘૂસી ગયો હતો અને જીપનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
આ ઘટનાની જાણ થતા પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતકોની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, તેવું નરોડોના ઁજીૈં એમ.એ. વાઘેલાએ જણાવ્યું હતું.