સિહોરમાં પરશુરામ જયંતિની ઉજવણી નિમિત્તે બ્રહ્મબંધુઓની મીટીંગ યોજાઈ

830

આગામી તા ૭/૫/૧૯ ના રોજ ભગવાન પરશુરામજી ની જન્મજયંતિ હર્ષોલ્લાસ સાથે સિહોર ખાતે ઉજવણી કરવામાં આવશે જે અનુસંધાને ટાઉનહોલ ખાતે મિટીંગ નું આયોજન યુવાપરશુરામ ગ્રુપ સિહોર દ્વારા કરવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં બ્રહ્મબંધુઓ પરિવાર સાથે ઉપસ્થિત રહી બ્રહ્મ એકતામાં ભાગીદાર થયા હતા.

આ મિટીંગ ના મુખ્ય એજન્ડા એ હતાકે ભગવાનની જન્મજયંતિ ધામધૂમ પૂર્વક ગાજતે વાજતે શિહોર શહેરમાં બાઈકરેલી,કાર રેલી,પગપાળા રેલી તથા સમાજના નાના ભૂલકાઓ માટે વેશભૂષા સહિત ના અનેક પ્રકારના કાર્યક્રમ યોજવામાં આવશે તથા ખાસ બ્રહ્મસમાજ ના રાજ્ય કક્ષાએ પારિતોષિક મેળવેલ કોઈપણ વ્યક્તિ ,કલાક્ષેત્રે થી લઈ ક્લાસવન ઓફિસર ,વિશેષ પદવી કે વિષેશ સ્થાન  ધરાવનાર દરેક વ્યક્તિને સિહોર યુવા પરશુરામ ગ્રુપ દ્વારા ભગવાન પરશુરામજી ની જન્મજયંતિ ના દિવસે બ્રહ્મ મહેરામણ ની વિશાળ હાજરીમાં સન્માનિત કરશે.

આ કાર્યક્રમ ભવ્ય થી અતિભવ્ય બનાવવા લગાતાર તૈયારીઓ ચાલી રહી છે તો બ્રહ્મસમાજ ના દરેક આગેવાનો, યુવાટીમ, મહિલામંડળ, વડીલ મુરબ્બીઓ ના સાથ સાથે ૧૦૦ ટકા હાજરી આપી આ યાત્રા તથા જન્મજયંતિ ઐતિહાસિક બનાવવા યુવા પરશુરામ ગ્રુપ સિહોરના પ્રમુખ દિપકભાઇ જાની દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે જય મહાદેવ જય પરશુરામ.

Previous articleજાફરાબાદ પોલીસ સ્ટેશનમાં હોળી ધુળેટીના અનુસંઘાને શાંતિ સમિતિની મીટીંગ યોજાયેલ
Next articleકાઠી સમાજને નજર અંદાજ કરાશે તો ચૂંટણીના પરિણામો બદલાઈ જશે