નવાગામ (ગા) ખાતે તળપદા કોળી સમાજનો સાતમો સમુહ લગ્ન યોજાયો

723

વલ્લભીપુર તાલુકા તળપદા કોળી સમાજનો સાતમો સમૂહલગ્ન સમારોહ નવાગામ ગાયકવાડી ખાતે યોજાઇ ગયો. જેમાં ૫૧ નવ દંપતીઓ એ પ્રભુતામાં પગલાં પાડયાં.આ પ્રસંગે નવ દંપતીઓને આશીર્વચન પાઠવવા સંતો મહંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમૂહલગ્ન સમારોહ મા મુખ્ય અતિથિ તરીકે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત ભાવનગર સાંસદભારતીબેન શિયાળ, ધારાસભ્ય ધંધુકા રાજેશભાઈ ગોહિલ, પૂર્વ ધારસભ્ય  પ્રવીણભાઈ રાઠોડ, માંધાતા અધ્યક્ષ રાજુભાઈ સોલંકી, કાંતિભાઈ ચૌહાણ, કરશનભાઈ વેગડ, મુકેશભાઈ રાઠોડ, આર.કે.ઘેટી, નટુભાઈ ચાવડા, ધીરુભાઈ શિયાળ, મનુભાઈ ચાવડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા તેમજ પોતાના વક્તવ્યોમાં સમાજમાંથી અંધશ્રદ્ધા, વહેમો,  કુરિવાજો દૂર કરી શિક્ષણ તરફ ભાર મૂકવા જણાવેલ. સમૂહલગ્ન ની સાથોસાથ રક્તદાન કેમ્પ નું પણ સફળતા પૂર્વક આયોજન કરેલ. સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા  વલ્લભીપુર તાલુકા તળપદા કોળી સમાજ સમૂહલગ્ન સમિતિએ તેમજ નવાગામ ગાયકવાડી ગામ સહિત સમગ્ર તાલુકા ના યુવાનોએ પણ ખાસ જહેમત ઉઠાવેલ.

Previous articleજાફરાબાદ કે.વ.મંડળ દ્વારા દિક્ષાંત પર્વની ઉજવણી કરાઈ
Next articleઈશ્વરિયા નાણા રોકાણ જાગૃતતા અને ડીઝીટલ વ્યવહાર માર્ગદર્શન