નિરવ મોદીની લંડનમાં ધરપકડ

484

પંજાબ નેશનલ બેંકમાં દેશના સૌથી મોટા બેંકિંગ કૌભાંડને અંજામ આપનાર હિરા કારોબારી નિરવ મોદી ઉપર સકંજો વધુ મજબૂત કરવામાં આવી રહ્યો છે. લંડનમાં તેની ધરપકડના અહેવાલ વચ્ચે ભારતમાં હવે તેની સંપત્તિ વેચવાની પણ શરૂઆત કરી દેવામાં આવી છે. સુત્રોના કહેવા મુજબ મુંબઈ સ્થિત પ્રવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ કોર્ટે ઇડીને આ અંગેની મંજુરી આપી દીધી છે. કોર્ટે નિરવના પત્નિ અમી મોદીની સામે બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જારી કરી દીધું છે. ઇડી સુત્રોએ કહ્યું છે કે, કોર્ટે પીએનબીમાં ૧૩૦૦૦ કરોડ રૂપિયાથી વધુના કૌભાંડના આરોપી નિરવ મોદીના ૧૭૩ પોઇન્ટિંગ અને ૧૧ કારને વેચવાને મંજુરી આપી દીધી છે. આ હરાજી મારફતે સંપત્તિને વેચવામાં આવશે. નિરવે પોતાના મામા મેહુલ ચોક્સીની સાથે મળીને કૌભાંડને અંજામ આપ્યો હતો. હજુ સુધી બંનેની ૪૭૬૫ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી ચુકી છે. ૪૮ વર્ષીય નિરવ મોદીની સ્થાનિક સમય મુજબ ભારતીય સત્તાાળાઓ તરફથી ધરપકડ કરવામાં આવી હતી.

ઇડી તરફથી તેન પ્રત્યાર્પણ માટે વિનંતીના જવાબમાં નિરવ મોદી સામે લંડન કોર્ટે ધરપકડ વોરંટ જારી કર્યા બાદ તેની ધરપકડ કરાઈ હતી. મોડેથી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. અગાઉ સીબીઆઈ સૂત્રોએ માહિતી આપતા કહ્યું હતું કે, નિરવ મોદીના પ્રત્યાર્પણ માટેના પ્રયાસો વધુ તીવ્ર કરી દેવામાં આવ્યા છે. બ્રિટને નિરવ મોદી સામે ગયા વર્ષે જારી કરવામાં આવેલી રેડકોર્નર નોટિસના જવાબમાં આક્રમક કાર્યવાહી હાથ ધરી છે. રેડકોર્નર નોટિસ જૂન ૨૦૧૮માં જારી કરવામાં આવી હતી. નિરવ મોદીએ લેટર્સ ઓફ અન્ડરટ્રેકિંગનો ઉપયોગ કરીને પીએનબીમાંથી ૧૩૫૦૦ કરોડ રૂપિયાની ઉઠાંતરી કરી હતી. થોડાક દિવસ પહેલા જ નિરવ મોદી લંડનમાં નજરે પડ્યા બાદથી તેના ઉપર સકંજો મજબૂત  કરવામાં આવી રહ્યો તો. ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં નિરવ મોદી અને ચોક્સી ફરાર થઇ ગયા હતા. ભારતમાંથી ફરાર થઇ ગયા બાદ તેમના મામલામાં તપાસ હાથ ધરાઈ હતી.

ભારતના બેંકિંગ ઇતિહાસાં સૌથી મોટા કૌભાંડ તરીકે આને ગણવામાં આવે છે. આ કેસ બાદ તેની સામે કાર્યવાહી વધારે તીવ્ર કરવામાં આવ શકે છે. પંજાબ નેશનલ બેંક કૌભાંડના કારણે દેશભરમાં કોર્પોરેટ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. નિરવ મોદી સકંજામાં આવ્યો હતો.

બ્રિટનની અદાલતે કૌભાંડી નીરવ મોદીને જામીન આપવાનો કર્યો ઈનકાર, ૨૯ સુધી કસ્ટડીમાં મોકલ્યો

બ્રિટનની અદાલતે પીએબી કૌભાંડના મુખ્ય આરોપી અને ભાગેડુ નીરવ મોદીને જામીન આપવાનો ઈનકાર કરી દીધો છે. કોર્ટે તેને ૨૯ માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. ન્યાયાધિશે જણાવ્યું કે, જો નીરવ મોદીને જામીન આપવામાં આવશે તો તે ફરી વખત કોર્ટની શરણમાં આવશે નહીં. આ અગાઉ નીરવ મોદીની લંડનના હોલબોર્નમાં ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનાને ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોદી સરકારની મોટી કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ નીરવ મોદીની પત્ની એમી મોદી સામે પણ બિનજામીનપાત્ર વોરન્ટ બહાર પડાયું છે.

Previous articleવારાણસીમાં પ્રિયંકા ગાંધી કહ્યુંઃ રાજનીતિનો સાચો હેતુ લોકોની સેવા છે
Next articleરાજ્યના ઘણા શહેરોમાં હાર્દિક સમાજનો ગદ્દારના બેનર લાગ્યા