વાઇસ એડમિરલ કરમબિર સિંઘ દેશના આગામી નેવી ચીફ બનશે

570

સરકારે વાઇસ એડમિરલ કરમવીર સિંહને નેવી સ્ટાફના આગામી પ્રમુખ નિયુક્ત કર્યા છે. નેવી સ્ટાફના પ્રમુખ એડમિરલ સુનીલ લાંબા ૩૧ મે ૨૦૧૯ના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. વાઇસ એડમિરલ કરમવીર સિંહ, ઈન્ડિયન નેવીના પૂર્વ નેવી કમાનના હાલ ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ છે, જેનો તેઓએ ૩૧ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ કાર્યભાર સંભાળ્યો હતો. હરીશ બિષ્ટના સેવાનિવૃત્ત થયા બાદ તેઓએ આ પદ ગ્રહણ કર્યું હતું.સિંહને જુલાઈ ૧૯૮૦માં ઈન્ડિયન નેવીમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા અને ૧૯૮૨માં હેલિકોપ્ટર પાયલટ બન્યા. તેઓએ એચએએલ ચેતક અને કામોવ-૨૫ હેલિકોપ્ટર્સને ઉડાવવાનો વ્યાપક અનુભવ છે.

તેઓએ આઈસીજીએસ ચાંદ બીબી, આઈએનએસ વિજયદુર્ગ, આઈએનએસ રાણા અને આઈએનએસ દિલ્હી સહિત અનેક જહાજોની કમાન સંભાળી છે. તેઓએ પશ્ચિમી ફ્લીટના સંચાલન અધિકારી તરીકે પણ કર્યું છે. આ ઉપરાંત ચીફ ઓફ સ્ટાફ, પૂર્વી નેવી કમાન, સ્ટાફના પ્રમુખ, અંડમાન અને નિકોબાર કમાન, ફ્લેગ ઓફિસર મહારાષ્ટ્ર અને ગુજરાત ક્ષેત્ર, નેવી હેડક્વાર્ટરમાં સંયુક્ત નિદેશક નેવી વાયુ કર્મચારી, નેવલ એર સ્ટેશન, મુંબઈના કેપ્ટન એર અને ઓફિસર-ચાર્જ રહ્યા છે.

૩૭ વર્ષોથી વધુની પોતાની કારકિર્દી દરમિયાન તેમને તેમની સેવા માટે અતિ વિશિષ્ટ સેવા પદક અને પરમ વિશિષ્ટ સેવા પદક (૨૦૧૮)થી સન્માનિત કરવામાં આવ્યા છે.

Previous articleગાંધીનગર સીટે તો ભારે કરી! પિલવાઇ ગામના ૨ જમાઇઓ હશે આમને-સામને!
Next articleગુરૂગ્રામમાં ‘પાકિસ્તાન જતા રહો’ ની ધમકી સાથે મુસ્લિમ પરિવાર પર હુમલો