ચિત્રા મોક્ષધામના નવીનીકરણ માટે દાતાઓનો સાથ સહકાર

715

ભાવનગરના ચિત્રા ખાતે આશરે ૧૪ વિધામાં આવેલ મોક્ષધામમાં નવીનીકરણના કાર્યમાં વિવિધ વીસ્તારોમાંથી, સંસ્થાઓમાંથી વ્યક્તિઓ દ્વારા દાતાનો પ્રવાહ મદદ શરૂ થયેલ છે, આ માટે ચિત્રા મોક્ષ મંદિરના ટ્રસ્ટી મંડળના વરિષ્ઠ અને ભાવનગર નાગરિક બેંકના એમ.ડી. પ્રદિપભાઈ હરકાન્તભાઈ દેસાઈ અને તેમના પરિવારના સભ્યો  નિલયભાઈ દેસાઈ, હેમંતભાઈ દેસાઈ, નિખીલભાઈ દેસાઈ તરફથી ચિત્રા મોક્ષધામ ખાતે રૂા. ૧.રપ લાખનું અનુદાન મળેલ છે.  પ્રદિપભાઈના નિવાસ સ્થાને ચિત્રા ખાતે ટ્રસ્ટીઓની દનઅંગેની શુભેચ્છા બેઠક મળેલ જેમાં ચેક સંસ્થાઓના ટ્રસ્ટીઓને સુપ્રત કરવામાં આવેલ આ પ્રસંગે ચિત્રા ગામના આગેવાન ભનુભાઈ, હરજીભાઈ ટ્રસ્ટી બાબુદાદા, ટ્રસ્ટી ભગવાનદાદા, ટ્રસ્ટી કોર્પોરેટર કાન્તભાઈ હાજર રહ્યા હતાં.

Previous articleગાંધી પરિવારનો કોઈ વ્યવસાય નથી તો અબજોની સંપત્તિ ક્યાંથી આવી?ઃ ભાજપ
Next articleતા.૨૫-૦૨-ર૦૧૯ થી ૩૧-૦૩-ર૦૧૯ સુધીનુંસાપ્તાહિક  રાશી ભવિષ્ય