બેંગ્લોરના સ્ટેડિયમમાં રમાનારી દરેક મેચમાં સેનાના જવાનોને આમંત્રણ

583

આઈપીએલનો રોમાંચ ક્રિકેટ ચાહકોના માથા પર સવાર થઈ રહ્યો છે ત્યારે બેગ્લોરની આરસીબી ટીમે એક એલાન કરીને લોકોનુ દીલ જીતી લીધુ છે.આરસીબી અને કર્ણાટક ક્રિકેટ એસોસિયેશન બેંગ્લોરમાં આઈપીએલની જેટલી પણ મેચો રમાશે તેમાં સેનાના જવાનોને આમંત્રણ આપશે.

૨૮ માર્ચથી ૪ મે સુધી બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં જેટલી પણ મેચ યોજાશે તે દરેક મેચમાં સેનાના ૬૦ જવાનોને મેચ જોવા માટે આમંત્રણ આપવામાં આવશે.આ માટે કોઈ પણ જાતનો ચાર્જ નહી લેવાય.

આ પહેલા પણ આઈપીએલનો ઉદઘાટન સમારોહ રદ કરીને સુરક્ષાદળોને ૨૦ કરોડ રુપિયાનુ ડોનેશન આપવાની જાહેરાત ભારતીય ક્રિકેટ બોર્ડે કરી હતી.

Previous articleઅશ્વિને કોઈ નિયમ નથી તોડ્યો, ‘માંકડેડ’નું પગલું યોગ્યઃ પ્રસન્ના
Next articleભારત-મલેશિયા હોકી ટીમ વચ્ચે ૫ મેચની સીરિઝ, ૪ એપ્રિલથી શરૂ