પાલીતાણા વિભાગ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ ભાવનગર જીલ્લાના બોરતળાવ પોલીસ સ્ટેશનના સગીરાના અપહરણ તથા બળાત્કારના ગુનાના આરોપી ઋત્વીકભાઇ કનુભાઇ હાવળીયા ઉ.વ. ૨૦ રહે. ઝરીયા તા.શિહોરજી. ભાવનગર હાલ રહે. ભાવનગર એસ.ટી. વર્કશોપ મસ્તરામ સોસાયટી મફતનગર મહાદેવા મંદીર પાછળ ભાવનગરવાળા એ એક સગીરા રહે. મસ્તરામ મંદીર નજીક ભાવનગર વાળીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી તા.૨૯/૦૩/૨૦૧૯ ના કલાક ૧૬/૦૦ ના અરસામાં ભગાડી ગયેલ હોય અને જે અંગે ઉપરોક્તવિગતે બોરતળાવ પો.સ્ટે.માં ગુન્હો દાખલ થયેલ હોય ગુન્હાની ગંભીરતા ને ધ્યાને લઇવલ્લભીપુર પો.સ્ટે. પો.સ.ઇ. એમ.ડી.મકવાણા તથા પો.હેડ કોન્સ. પૃથ્વીરાજસિંહ રાયજાદા, ભગવાનભાઇ સાંબડ, રાજવીરસિંહ જાડેજા, અમિતકુમાર મકવાણા, રામભાઇ કટારા, કોમ્બીંગ હાથ ધરી મજકુર આરોપી ની હાજરી બાબતે ચોક્કસ હકીકત મેળવી ઉપરોક્ત આરોપીને પાણવી ગામ નજીકથી પકડી ધોરણસર કાર્યવાહી કરી આગળની તપાસ માટે બોરતળાવ પો.સ્ટે. ભાવનગર ને સોંપી આપવા તજવીજ કરેલ છે.