પાલીતાણા મામલતદારને આવેદન અપાયું

768

આદપુરથી પાલીતાણા સુધીનાં બે કી.મી. સુધીનો રસ્તો છેલ્લા ત્રણ વર્ષથી બિસ્માર હાલતમાં છે. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે સત્વરે રોડનું કામ પૂર્ણ કરવા તેમજ આદપુર ગામને શેત્રુજી જૂથ યોજનામાંથી પીવાનું પાણી તાત્કાલીક આપવા અને આદપુર ગામનાં વાડી વિસ્તારમાં દિવસ દરમ્યાન વીજ પુરવઠો આપવાની માંગણી સાથે આદપુરનાં લોકો દ્વારા પાલીતાણા મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી.

Previous articleટીબીના દર્દીઓને ઘઉંનું વિતરણ
Next articleસગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરનાર ગારિયાધારનાં શખ્સને ૭ વર્ષની સજા