સેક્ટર-૨૬ના ભજન મંડળના સભ્યોને ધાર્મિક પ્રવાસ કરાવ્યો

656

ગાંધીનગર મહાનગર પાલિકાના વોર્ડનં.૧ના ગ્રીનસીટી વસાહત, સેક્ટર-૨૬ની વૈજનાથ ભજન મંડળના સિનિયર સિટીઝનના ૫૫ વડિલોનો ધાર્મિક પ્રવાસ તાજેતરમાં યોજાયો હતો. ભજન મંડળના વડિલોને સોમનાથ, બેટદ્વારકા, દ્વારકા, વીરપુર (જલારામબાપા), ખોડલધામ, હરસિદ્ધી મંદિર તેમજ ચોટીલા સહિતના ધાર્મિક સ્થળોના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ધાર્મિક પ્રવાસનું આયોજન કોર્પોરેટર હર્ષાબા ધાંધલે કર્યું હતું.

Previous articleકલોલના નવજીવન શોપીંગ સેન્ટરનું ગેરકાયદે બાંધકામ દુર કરવા આદેશ
Next articleડીસાના ઓવરબ્રીજ પરથી હિટાચી મશીન નીચે પટકાતા અકસ્માત