સિહોરમાં આંબેડકર જયંતિ નિમિત્તે રેલી

652

સિહોર ખાતે બંધારણના ઘડવૈયા એવા ડા.બાબાસાહેબ આંબેડકરની ૧૨૮મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ડા.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ પ્રસંગે સિહોર શહેરના માર્ગો ઉપર રેલી કાઢવામાં આવી હતી અને શહેરમાં વિવિધ જગ્યાએ જયભીમના નારા અને નાચગાન સાથે ઉજવણી કરવામાં આવેલ હતી. ત્યારબાદ આંબેડકર ચોકમાં આવેલ ડા.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાંને હાર પહેરાવી રેલી પૂર્ણ કરવામાં આવી હતી. આ રેલીનું રાજકીય પક્ષો તથા આગેવાનો વેપારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું

Previous articleડા.આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી
Next articleશહિદ ફાયર જવાનોને શ્રદ્ધાંજલી