શહિદ ફાયર જવાનોને શ્રદ્ધાંજલી

605

ભાવનગર મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા ફાયર-ડે નિમિત્તે શહીદ થયેલ ફાયર બ્રિગેડના જવાનોને શ્રદ્ધાંજલી પાઠવામાં આવી હતી. શહેરના નિર્મળનગર ખાતે આવેલ ફાયર બ્રિગેડ સ્ટેશન ખાતે યોજવામાં આવેલ ફાયર બ્રિગેડ વિભાગમાં અધિકારીઓ, જવાનોએ બે મીનીટ મૌન પાળી શહિદ થયેલ ફાયર બ્રિગેડના જવાનોને શ્રદ્ધાંજલી પાઠવી હતી. કાર્યક્રમમાં ચીફ ફાયર ઓફીસર ચેતનભાઇ વ્યાસ, સ્ટેશન ઓફીસર પ્રદ્યુમ્નસિંહ સહિત સ્ટાફ જોડાયેલ.

Previous articleસિહોરમાં આંબેડકર જયંતિ નિમિત્તે રેલી
Next articleરામનવમી નિમિત્તે શિખંડ-મઠ્ઠાની ખરીદી