કરણસિંહ ડાભીની કળશ સન્માન યાત્રા

1104

બોટાદ તાલુકાના મોગલધામ તરધરાથી રાજપૂત સમાજના વીર શહિદ કરણસિંહજી ડાભીની કળશ સન્માનયાત્રાનો પ્રારંભ થયો હતો જેમાં વનરાજસિંહ ડાભી, યોગરાજસિંહ ડાભી, અજીતસિંહ ખેર, કાનભા ગોહિલ રજોડા, પ્રવિણસિંહ મોરી તથા સમાજ બંધુ હાજર રહ્યા હતા. ગુજરાત રાજપૂત સમાજના વડીલો તથા યુવાનો ૩૦૦ -૪૦૦ ગાડીઓના કાફલા સાથે મોટી સંખ્યામાં જોડાયેલા હતા. જેમાં તરાધરાથી બોટાદ, ખસ, નાનીવાવડી, રાણપુર, વેજળકા, સતરીયાળા, ચુડા, વસ્તડી, વડોદ, કારીયાણી, ટીંબી, વાઘેલા, વઢવાણ, શેખપુર, મૂળી, ટીકર, શડલા થઇને સાંજે ૭ કલાકે શહિર વીર કરણસિંહ ડાભીના ગામમાં પહોંચી હતી.

Previous articleજન્મદિને ચકલીઘરનું વિતરણ
Next articleઇસ્લામનો મઝહબ દયા, શાંતિ, ક્ષમાનો પૈગામ આતંકવાદનો વિરોધ : હ.સૈયદ મોહંમદ હાશ્મી