રાણપુરનાં ધારપીપળા ગામે સગીરા પર ૩ શખ્સો દ્વારા દુષ્કર્મ કરાયું : બે ઝબ્બે

1307

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના ધારપીપળા ગામે ત્રણ નરાધમોએ સગીરવયની બાળકી ઉપર બળાત્કાર ગુજારતા સમગ્ર રાણપુર પંથકમાં ચકચાર મચી ગયેલ છે.

આ બાબતે પોલીસ સુત્રો પાસેથી મળતી માહીતી મુજબ રાણપુર તાલુકાના ધારપીપળા ગામના જયંતી(ઉર્ફે-કુકો) વિનુભાઈ ધરજીયા તથા રણછોડ(ઉર્ફે-રસો)હમીરભાઈ જતાપરા તથા પીન્ટુ શાંતિભાઈ મેર આ ત્રણેય નરાધમોએ સગીરવયની બાળકી ઉપર અવાર-નવાર અલગ-અલગ  જગ્યાએ લઈ જઈ બળાત્કાર ગુજારેલ અને બાળકીને ધમકી આપેલ કે જો કોઈને આ વાત કરી તો તને અને તારા ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.જ્યારે બાળકીના પિતા એ રણછોડ(ઉર્ફે-રસો)હમીરભાઈ જતાપરા ને  ઠપકો આપવા જતા બાળકીના પિતાને લોખંડના પાઈપ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપેલ આ બાબતની ફરીયાદ બાળકીના પિતાએ રાણપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસ દ્વારા જયંતીભાઈ(ઉર્ફે-કુકો)વિનુભાઈ ધરજીયા ઉ.૨૧ અને રણછોડ(ઉર્ફે-રસો)હમીરભાઈ જતાપરા ઉ.૩૩ આ બન્ને નરાધમ ને ઝડપી જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે જ્યારે પીન્ટુ શાંતિભાઈ મેર ફરાર થઈ જતા પોલીસે પીન્ટુને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.વધુ આગળની તપાસ ઇન્ચાર્જ સી.પી.આઈ. બોટાદ પી.બી.ગઢવી કરી રહ્યા છે.

Previous articleધોળા અને ઉમરાળા ખાતે રામનવમી નિમિત્તે નિકળેલી વિશાળ શોભાયાત્રા
Next articleડા.આંબેડકરને પુષ્પાંજલી કાર્યક્રમ