નિચા-કોટડા ચામુંડા મંદિરે નવચંડી યજ્ઞ

807

નિચાકોટડા ગામે આવેલ સમગ્ર મધુવન પાખી ચૌહાણ પરિવારના કુળદેવી ચામુંડા માતાજીનું ભવ્ય મંદિર આવેલ છે. અહીં પ્રતિ વર્ષ ચૈત્રી  પૂનમના દિવસે નવચંડી યજ્ઞ યોજાઇ છે. આ વર્ષે પણ યજ્ઞ યોજાયો હતો. રાત્રીના સત્ય નારાયણ ભગવાનની કથા અને નામી અનામી કલાકાર દ્વારા સંતવાણીનો કાર્યક્રમ સહિત યોજાયો હતો. અહીં સમગ્ર મધુવન પાખી ચૌહાણ પરિવાર એક સાથે બેસીને પ્રસાદનો લાભ લીધો હતો. મંદિરના વહીવટકર્તા વેલાભાઇ, શિવાભાઇ શિક્ષક, પ્રાગજીભાઇ, ઓઘડભાઇ મંદિરના ભૂવા મથુરભાઇ (દયાળવાળા) સહિતના એક સુંદર આયોજન કર્યું હતું.

Previous articleઢસાનાં તાત્કાલીક હનુમાનજી મંદિરે પદયાત્રીકો માટે ફ્રી ચા-પાણીનાં સ્ટોલ
Next articleગઢડામાં પોલીસ, CRPF દ્વારા ફ્લેગમાર્ચ, વાહન ચેકીંગ કરાયા