બાબરા તાલુકામાં મતદારોની નિરસતાથી ગૃપ મીટીંગોમાં લોકોની પાંખી હાજરી !

573

બાબરા તાલુકા માં લોકસભા ૨૦૧૯ ચુંટણી અન્વયે મતદારો ની નીરસતા ની સાથો સાથ રાજકીય આગેવાની લેનારા તાલુકા ના આગેવાનો પોતાનું વર્ચસ્વ ટકાવવી રાખવા માટે પાયા ના કાર્યકરો સહિત  અન્યો ની રાજકીય કારકિર્દી ટુંકી કરવા માં વ્યસ્ત હોઈ તેમ ચુંટણી પ્રચાર પ્રસાર માં આજ દિવસ સુધી નોંધ સુદ્ધાં લેવા માં આવી નહી હોવાના બળાપા બંને પક્ષે નીકળી રહ્યા છે.

મતદાન આડે માત્ર ગણતરી ની કલાકો બાકી છે અને આજ સાંજ થી ચુંટણી પ્રચાર ના પડઘમ શાંત થયા ત્યાં સુધી બાબરા તાલુકા માં એક પણ નોંધ પાત્ર સભા કે રેલી નું આયોજન કોઈ પક્ષ કરી શક્યું નથી ધોમધખતા તાપ વચ્ચે મતદારો ને રીજવવા આગેવાનો દ્વારા ગ્રુપ મીટીંગો ના આયોજનો થાય છે પરંતુ પોતાની પાર્ટી ના ગુણગાન સાંભળવા મતદારો સભા કે ગ્રુપ મીટીંગો સુધી ધારણા મુજબ ની સંખ્યા નહી થવાથી રાજકીય પક્ષો મતદારો નું મન કળવા માં નિષ્ફળ રહ્યા છે.

ત્યારે હવે મતદાનને આડે માત્ર ત્રણ દિવસ રહ્યા હોય અને આજે રવિવારે સાંજના પ્રચાર પૂર્ણ થયા બાદ ડોર ટુ ડોર પ્રચાર અને ગૃપ મીટીંગોમાં રાજકીય પક્ષો વ્યસ્ત બનશે.

Previous articleરાજુલાના બારોટ રેણુકા પરિવાર દ્વારા સરંભડા ખાતે હનુમાન જયંતિ ઉજવાઇ
Next articleજલિયાણ સેવા ગૃપ દ્વારા પશુ-પક્ષી માટે પાણીની કુંડીઓનું વિતરણ