સીજેઆઈ સામેના યોન શોષણનાં કેસની આજે વધુ સનાવણી કરાશે

840

ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ પર લાગેલા યૌન શોષણના આરોપોને લઈને બુધવારે સુપ્રીમ કોર્ટની સ્પેશિયલ બેંચે સુનાવણી કરી હતી. જસ્ટિસ એસએ બોબડેની અધ્યક્ષતાવાળી બેંચે આરોપ લગાવનારી મહિલાને નોટિસ જાહેર કરી ૨૬ એપ્રિલે હાજર થવાના આદેશ આપ્યાં. સીજીઆઈ વિરૂદ્ધ ષડયંત્રનો દાવો કરનાર વકીલ ઉત્સવ બેંસે સીલબંધ કવરમાં પુરાવાઓ કોર્ટમાં રજૂ કર્યા. જેમાં કેટલાંક સીસીટીવી ફુટેજ સામેલ છે.વકીલ ઉત્સવ બેંસે કહ્યું કે સીજેઆઈ વિરૂદ્ધ સૌથી મોટું ષડયંત્ર રચાયું જેમાં મોટા કોર્પોરેટ હાઉસનો હાથ છે. વકીલે તપાસ એજન્સીઓના પ્રમુખને મળવાની માગ કરી છે. બેંચે દસ્તાવેજ જોયાં બાદ એટોર્ની જનરલ કેકે વેણુગોપાલને કહ્યું કે શું તમે કોઈ જવાબદાર તપાસ અધિકારીને ચેમ્બરમાં બોલાવશો. જો મામલો યોગ્ય છે તો ઘણો જ ગંભીર છે. ઉત્સવની સુરક્ષા યથાવત રાખવામાં આવે. વકીલે સુરક્ષાને લઈને ખતરાની વાત કરી હતીઃ વકીલ ઉત્સવે પોતાની સુરક્ષાને લઈને ખતરો હોવાની વાત કોર્ટને કહી હતી. સુપ્રીમ કોર્ટે બુધવારે સીબીઆઈના ડાયરેક્ટર, દિલ્હી પોલીસના કમિશ્નર અને ઇન્ટેલિજન્સ બ્યૂરો ચીફને સમન્સ પાઠવ્યા. કોર્ટે આ સમન્સ ન્યાયિક ભ્રષ્ટાચારના મુદ્દાઓની તપાસ કરવા અને યૌન ઉત્પીડન મામલામાં ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને દોષી ઠેરવવાના કથિત પ્રયાસોને લઈને મોકલ્યા છે.

જસ્ટિસ અરુણ મિશ્રાની આગેવાનીવાળી ત્રણ જજોની બેન્ચે ત્રણેય સંસ્થાઓના પ્રમુખોને બપોરે ૧૨.૩૦ વાગ્યે બોલાવ્યા, જેમાં કહેવામાં આવ્યું કે તેમની સાથે ચર્ચા-વિચારણ જજોની ચેમ્બરની અંદર થઈ. આ મામલામાં આગળની વાતચીત માટે આ બેન્ચ બપોરે ત્રણ વાગ્યે ફરી બેઠી હતી.

જેની વધુ સુનાવણી આજે કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની વિરુદ્ધ યૌન ઉત્પીડનના આરોપોની તપાસ માટે કોર્ટે ત્રણ જજોની એક આંતરિક તપાસ સમિતિની રચના કરી છે. આ સમિતિમાં કોર્ટના ત્રણ સિટિંગ જજ- જસ્ટિસ એસ એ બોબડે, એન વી રમન અને જસ્ટિસ ઈન્દિરા બેનર્જી સામેલ છે. ગોગોઈ બાદ બોબડે જ સૌથી સિનિયર જજ છે.

આ તપાસ શુક્રવારથી શરૂ થશે અને તે ન્યાયિક નહીં પરંતુ એક વિભાગીય તપાસ જ છે. આ મામલામાં કોર્ટે વકીલ ઉત્સવ બેંસને નોટિસ જાહેર કરી છે. ઉત્સવે આરોપ લગાવ્યો હતો કે તેમને સીજેઆઈની વિરુદ્ધ ખોટા આરોપ લગાવવા માટે લાંચની રજૂઆત કરવામાં આવી હતી.

નોંધનીય છે કે, કોર્ટે ઉત્સવ બેંસ નામની વકીલને બુધવારે ખાનગી રીતે રજૂ થવાનો નિર્દેશ આપ્યો હતો. મૂળે, બેંસે દાવો કર્યો હતો કે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને મોટા કાવતરા હેઠળ યૌન શોષણ કેસમાં ફસાવવામાં આવ્યા છે. બેંસનો આરોપ છે કે આ મામલામાં જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલનો હાથ હોઈ શકે છે. જસ્ટિસ અરુણ મિશ્રાની નેતૃત્વવાળી સુપ્રીમ કોર્ટની ત્રણ સભ્યોની બેન્ચે બેંસને નોટિસ જાહેર કરી કહ્યું કે તેઓ કોર્ટમાં હાજર થઈને પોતાના દાવાઓના પક્ષમાં પુરાવા રજૂ કરે.

એડવોકેટ ઉત્સવ બેંસ દ્વારા કોર્ટને આપવામાં આવેલી એફિડવિટમાં કહેવામાં આવ્યું છે કે સૂત્રો મુજબ ચીફ જસ્ટિસ પર યૌન શોષણનો આરોપ લગાવવામાં દિલ્હીના એક ફિક્સર રોમેશ શર્માનો હાથ હતો જેથી ચીફ જસ્ટિસને રાજીનામું આપવા માટે મજબૂર કરી શકાય.

Previous articleમને ગાળો આપનારા હવે ઈવીએમને ગાળો આપવા માંડ્યાઃ પીએમ મોદી
Next articleઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ માટે હાર્દિક પટેલે કરેલો પ્રચાર