સિદસર ૨૫ વારીયામાં છરીનાં ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યા

1854

ભાવનગર શહેરના છેવાડે આવેલા સીદસર ૨૫ વારીયા ખાતે ગત મોડી રાત્રીનાં થયેલી મારામારીમાં વચ્ચે પડતા સસરાના ઘરે આવેલા ભીકડા ગામનાં યુવાનની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા થતા ચકચાર મચી જવા પામી છે. બનાવનાં પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

સિહોરના ઘાંઘળી ગામે ચાર શખ્સો દ્વારા બે દિવસ પૂર્વે મોડી રાત્રીના ઘરમાં ઘુસી પત્નિને દોરડે બાંધી પતિની હત્યા કરીને ૨ કિલો ચાંદીની લૂંટના બનાવનાં આરોપી હજુ ઝડપાયા નથી ત્યાં બીજા જ દિવસે સીદસર ૨૫ વારીયામાં યુવાનની હત્યા થતા ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર જિલ્લાનાં ઘોઘા તાલુકામાં ભીકડા ગામે રહેતો યુવાન યોગીરાજસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ ભાવનગર શહેરના છેવાડે આવેલા સિદસર ૨૫ વારીયામાં રહેતા સસરાનાં ઘરે આવ્યો હતો. ત્યારે તેના સસરાને આશીષ મકવાણા નામના શખ્સ સાથે ઝઘડો ચાલતો હતો. દરમ્યાન યોગીરાજસિંહ વચ્ચે પડતા આશીષ મકવાણાએ છાતીમાં છરીના ઘા ઝીંકી  દેતા ગંભીર હાલતે યોગીરાજસિંહને સારવાર અર્થે સર.ટી.હોસ્પીટલમાં ખસેડાતા જ્યાં તેનું મોત થતા બનાવ હત્યામાં પરીણમ્યો હતો. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને હત્યારાને ઝડપી લેવા કવાયત હાથ ધરેલ.

Previous articleદેવી ભાગવત કથામાં કૃષ્ણજન્મ
Next articleસિવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના પાણીના ટાકામાં ડુબી જતા ૩ કર્મીના મોત