શોભાવડ ગામની વાડીના કુવામાંથી યુવાનની લાશ મળી

1116

તળાજા તાલુકાના શોભાવડ ગામે રહેતા દેવીદાસ ઉર્ફે નાનકો નથુરામ દુધરેજીયા નામના યુવાનની ગામમાં આવેલ ઉકાભાઇ જનાભાઇ વાઘોસીયાની વાડીના કુવામાંથી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ બનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને યુવાનની લાશ બહાર કાઢી પી.એમ. અર્થે તળાજા હોસ્પીટલ ખસેડાયો હતો. આ બનાવમાં પ્રાથમિક વિગતો મુજબ યુવાન અસ્થિર મગજનો હોવાનું જાણવા મળેલ છે. પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleઅમરેલીના છેવાડાના ગામોમાં ખુલ્લેઆમ ખીનજચોરી
Next articleશિક્ષકોના બે માસથી પગાર ન થતા કોંગી સભ્યોના ધરણાં