ઈચ્છા છે કે સીએસકે મને આગામી સીઝન માટે રિટેન કરે : મહેન્દ્ર ધોની

847

ચેન્નઈના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં આઈપીએલ-૧૨ની અંતિમ મેચમાં ધમાકેદાર ઇનિંગ બાદ ધોનીએ આગામી આઈપીએલમાં રમવાને લઈને નિવેદન આપ્યું છે. ધોનીએ ઈશારા ઈશારામાં કહ્યું કે, તે ઈચ્છે છે કે સીએસકે તેને આગામી સીઝન માટે રિટેન કરે.

ચેન્નઈ સુપર કિંગ્સે બુધવારે રમાયેલ મેચમાં દિલ્હીને કેપિટલ્સને ૮૦ રને હાર આપી હતી. આ જીત સાથે સીએસકે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. ધોનીએ આ મેચ બાદ પ્રેશેન્ટર હર્ષા બોગલેએ સવાલ કર્યો કે તે પોતાના શાનદાર પ્રદર્શનું સીક્રેટ અમને જણાવી શકે છે, તેમણે સીએસકેના ઓનર્સ સાથે આ મામલે વાત કરી લીધી છે અને તેઓ તેને આગામી સીઝનમાં ઓક્શનમાં જરૂર ખરીદશે.

તેના પર ધોનીએ હસતા મજાકીયા અંદાજમાં કહ્યું, ‘જો તેઓ મને ઓક્શનમાં ખરીદશે તો તે મારા માટે ડિમોશન હશે. કારણ કે મને લાગે છે તેમણે મને રિટેન કરવો જોઈએ, તો મારે જઈને મારા ઓનર્સ સાથે વાત કરવી પડશે કે તે મને રિટેન કરશે કે પછી ઓક્શનમાં ખરીદશે.’

Previous articleભારતીય ટીમમાંથી પડતો મુકાતાં મારા પર્ફોર્મન્સ પર અસર પડીઃ ઉમેશ યાદવ
Next articleઆઇસીસી રેન્કિંગઃ  ટેસ્ટ ટીમની યાદીમાં ભારત અને વન-ડેમાં ઇંગ્લેન્ડ ટોચ પર