ભાવનગર મહાપાલિકાના અર્બન મેલેરિયા વિભાગ દ્વારા ડેન્ગ્યુ દિવસની ઉજવણી અંતર્ગત પ્રદર્શન રેલી સહિતના જનજાગૃતિ પ્રેરક કાર્યક્રમ યોજાયા હતા.
સરદાર પટેલ શોપીંગ સેન્ટર સરદારનગર ખાતે યોજવામાં આવેલ પ્રદર્શનમાં અર્બન મેલેરિયા વિભાગના ડા.અક્ષય પંડ્યા, વિજયભાઇ ગોહિલ, ખોડાભાઇ પરમાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને માહિતી તથા માર્ગદર્શન આપ્યું હતું.
લીંક વર્કર બહેનો તથા નગરજનોએ પ્રદર્શન નિહાળ્યું હતું અને ડેન્ગ્યુ રોગ વિશે માહિતી અને માર્ગદર્શન મેળવ્યું હતું. અર્બન મેલેરિયા વિભાગ દ્વારા જનજાગૃતિ પ્રેરક રેલી પણ યોજવામાં આવી હતી.