વર્લ્ડ કપ જીતનારી ટીમને અધધ…૨૮ કરોડ રૂપિયા મળશે.!

510

આઈસીસી વર્લ્ડ કપ – ૨૦૧૯ની વિજેતા ટીમને ૪૦ લાખ ડૉલર એટલે કે લગભગ ૨૮ કરોડ રૂપિયા મળશે, જે ટૂર્નામેન્ટનાં ઇતિહાસમાં સૌથી મોટી ઈનામી રકમ હશે. ૧૦ ટીમોની વિજેતા ટીમને એક ટ્રોફી પણ આપવામાં આવશે. આઈસીસીનાં નિવેદન અનુસાર ટૂર્નામેન્ટની કુલ ઇનામી રકમ ૧ કરોડ ડૉલર એટલે કે લગભગ ૭૦.૧૨ કરોડ રૂપિયા હશે. ઉપવિજેતા ટીમને લગભગ ૧૪ કરોડ રૂપિયા આપવામાં આવશે. તો સેમી ફાઇનલ હારનારી ટીમને ૮ લાખ ડૉલર એટલે કે લગભગ ૫.૬૦ કરોડ રૂપિયા મળશે.

૩૦ મેથી શરૂ થઇ રહેલી ટૂર્નામેન્ટ ૧૧ જગ્યાઓ પર રમાશે. દરેક લીગ મેચ માટે પણ ઇનામી રકમ છે. જે અંતર્ગત વિજેતા ટીમને ૨૮ કરોડ રૂપિયા, ઉપવિજેતા ટીમને ૧૪ કરોડ રૂપિયા, સેમીફાઇનલ હારનારી ટીમને ૫.૬૦ કરોડ રૂપિયા, દરેક લીગ મેચની વિજેતા ટીમને ૨૮ લાખ રૂપિયા અને લીગ મેચોથી આગળ જનારી ટીમને ૭૦ લાખ રૂપિયા આપવામાં આવશે.

Previous articleઇરોઝ હવે ટૂંકી ચલચિત્રોને પ્રતિષ્ઠિત ડીએફડબ્લ્યુ સાઉથ એશિયન ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૧૯ માં સ્ક્રીનીંગ માટે પસંદ કરાઈ
Next articleસ્ટાઈમૅકના અનુભવનો ભારતની ફૂટબોલ ટીમને લાભ મળશે : કેપ્ટન સુનીલ છેત્રી