બોરડા નજીકના કોદીયા ગામે મકાનમાં આગ, ધાસચારો સ્વાહા

596

તળાજા ના બોરડા નજીક આવેલા કોદયા ગામે રહેતા નાનાભાઈ અમારા ભાઈ ભાદરકા ના મકાન મા આગ લાગી હતી અને નજીક ના મકાન ને પણ આગ ની લપેટ મા લીધુ હતું આગનું કારણ જાણવા નો તુ મળ્યું પણ આગ એટલી ભયંકર હતી કે નજીક ના મકાનમાં પશુ માટે રાખેલ ઘાસ નો જથ્થા ચારોલુ કડબ  બળીને ખાખ થઈ ગયુ હતું અને મકાનમાં રાખેલ સામાન પણ બળી ગયો હતો  અંદાજે બે ત્રણ લાખ નુ નુકશાન થયું હોવાનું સુત્રોએ જણાવ્યું હતું  તળાજા ફાયરબ્રિગેડ ને જાણ કરવામાં આવી હતી પણ બે કલાક સુધી આવેલ નહી તેમ   સ્થાનિક લોકો જણાવ્યું હતું  અને નજીક મા કુવા માથી ઈલેક્ટ્રોનિક મોટર ચાલુ કરી ગામ લોકો એ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી સદનસીબે કોઇ પશુ કે માણસો અંદર નો તા  નહિતર વર્ણન ના કરી શકાઈ તેવી ઘટના બનવા પામી હોત  આખુ મકાન  અને ઘાસચારો અને મકાનમાં રાખેલ સામાન બળી ને ખાખ થઇ ગયુ હતું.

Previous articleસાવરકુંડલામાં બારોટ સમાજની નવી વાડીનું કામ પુર્ણતાના આરે
Next articleભાવનગર  મહાપાલિકાના દ્વારેથી