મુંબઈના સંત મધુસુધનબાપુની ત્રિદિવસીય હરિકથાનું આયોજન

594

મુંબઇ-ઉલહાસનગરના પ્રસિદ્ધ કથાકાર પૂજ્ય સંત મધુસુધનબાપુનો ત્રિદિવસીય હરિકથાનો ભાવનગરમાં ભવ્ય આયોજન કરવામાં આવેલ છે

તા.૨૫/૫ થી તા.૨૭/૫ શનિ,રવિ,સોમ એમ ત્રિદિવસીય હરિકથાનો રસપાન શહેરના સિન્ધુનાગરમાં આવેલ સિંધી નવજવાન સેવા મંડળ ખાતે રાત્રે ૯ થી ૧૧ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. મુંબઇ-ઉલહાસનગરથી પૂજ્ય મધુસુધનબાપુની સાથે અન્ય કલાકારો પણ ઉપસ્થિત રહી નગરજનોને કૃષ્ણ ભક્તિના રસમાં મંત્રમુગ્ધ કરશે.બાપુના કાર્યક્રમની કૃષ્ણ ભક્ત-પરિવાર ભાવનગર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવેલ છે કૃષ્ણ ભક્તિ હરિકથાનો રસપાન કરવા સર્વે નગરજનોને લાભ લેવા કૃષ્ણ ભક્ત પરિવાર ભાવનગરના માં ગૌરંગીદેવી દાસી દ્વારા અનુરોધ કરાયેલ છે.

Previous articleગુજરાતના બધા મોટા શહેરોમાં ટ્યુશન ક્લાસીસ તરત બંધ થયા
Next articleરસ્તા ઉપર ભુવો પડ્યો