ઘનશ્યામનગર પ્રાથમિક શાળામાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી

662

ઘનશ્યામનગર પ્રા. શાળા (તા. / જિ. -ભાવનગર ) માં વિશ્વ પર્યાવરણ દિનની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી .જેમાં મારું ઝાડ મારાં પરિવારનું સભ્ય – અંગ  છે. આ સૂત્રના વિચાર સાથે બાળકો એ એક એક વૃક્ષ વાવી તેને ઉછેરવાનો સંકલ્પ કરેલ છે.

પૃથ્વીના  સ્વાસ્થ્ય સાથે સમગ્ર જીવસૃષ્ટિનું  સ્વાસ્થ્ય જોડાયેલું છે.જેની જાળવણીની જવાબદારી માનવીની છે.  એક વૃક્ષ એક ૠષિ સમાન છે. “ધરતી મારી માતા છે.તેની જાળવણી /સાચવણી કરવી – રડતી માતાને તેનાં ખોવાયેલા  દીકરા (વૃક્ષ)  શોધી તેની ગોદમાં  બેસાડી-સ્થિર કરી તેને (માને ) સંતૃપ્ત કરવી એ  મારી સંતાન તરીકેની ફરજ છે.” ધરતીમાતા  પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા પર્યાવરણની જાળવણી કરવાનો બાળકોએ સંકલ્પ કરેલ.

બાળકોને આ અંગેનો  નવો  વિચાર, નવું  ચૈતન્ય  અને ઉત્સાહ આપનાર શાળા ના શિક્ષકો  વિનોદભાઇ મકવાણા અને ભરતભાઈ ડાભી તથા વિજયભાઇ વકાણીએ માર્ગદર્શન,  પ્રેરણા, પ્રોત્સાહન પુરૂં પાડેલ.

Previous articleરાજુલા તા.પં.નો જર્જરીત ઢાંચો પડુ પડુ : નવું બિલ્ડીંગ બનાવવા રજૂઆત કરાઇ
Next articleમહાનગર પાલિકા દ્વારા સમૂહ વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઊજવણી