બંગાળ : તબીબોની હડતાળથી સેવા ઠપ, દર્દીઓ ભારે બેહાલ

457

પશ્ચિમ બંગાળમાં તબીબોની હડતાળની અસર અકબંધ રહી છે. દેશના જુદા જુદા ભાગોમાં પણ તબીબો હડતાળને સમર્થન આપવા માટે આગળ આવી ચુક્યા છે. આજે પાંચમાં દિવસે બંગાળમાં હડતાળ જારી રહી હતી. સેંકડોની સંખ્યામાં તબીબોના સામૂહિક રાજીનામાથી આરોગ્ય સેવા સંપૂર્ણપણે ઠપ થઇ ગઇ છે. દર્દીઓ બેહાલ થઇ ગયા છે. દર્દીઓના સગાસંબંધીઓ પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે. બીજુ બાજુ હિંસા બાદ હડતાળ કરનારા તબીબોએ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે બંધ રુમમાં વાતચીત કરવાનો ઇન્કાર કરી દીધો છે. મમતા બેનર્જીએ તબીબોને સચિવાયલમાં વાતચીત માટે બોલાવ્યા હતા પરંતુ તબીબોએ મમતા બેનર્જીની રજૂઆતને ફગાવ ીદીધ ી છે. તબીબોનું કહેવું છે કે, તેઓ પ્રકારની બેઠકને લઇને બિનસુરક્ષિત પોતાને અનુભવ કરી રહ્યા છે. તબીબોએ મુખ્મયંત્રીને એનઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં આવીને વિવાદને ઉકેલવા રજૂઆત કરી છે. આજે શનિવારના દિવસે પણ તબીબોની હડતાળ જારી રહી હતી. જુનિયર તબીબોના સમર્થનમાં સિનિયર તબીબોના રાજીનામાનો સિલસિલો જારી છે. બંગાળમાં તબીબોની માંગ અવિરત પણે જારી રહી છે. ૭૦૦થી પણ વધુ તબીબો રાજીનામુ આપી ચુક્યા છે. આવી સ્થિતીમાં બંગાળમાં આરોગ્ય સેવા ઠપ્પ થઇ ગઇ છે. દેશના જુદા જુદા રાજ્યોના તબીબો પણ હડતાળમાં સામેલ થયા છે. તબીબોએ હવે કહ્યુ છે કે મુખ્યપ્રધાન મમતા બેનર્જી તેમની માંગને હોસ્પિટલમાં આવીને સાંભળે. મમતા પર દબાણ વધતા વાતચીત માટે સક્રિય બન્યા છે.

તબીબોની હડતાળ આજે બંગાળમાં પાંચમા દિવસે જારી રહી હતી. બીજી બાજુ દેશના અન્ય રાજ્યોમાં પણ તબીબો તેમના સમર્થનમાં આગળ આવ્યા હતા. ૭૦૦ ડોક્ટરોએ સામૂહિક રાજીનામા આપી દીધા છે.  રાજીનામુ આપનાર તબીબોનું કહેવું છે કે, વર્તમાન સ્થિતિમાં કામ કરવું તેમના માટે મુશ્કેલ બની ગયું છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી પાસેથી માફીની માંગ કરવામાં આવી છે. સાથે સાથે અનેક શરતો પણ મુકી દીધી છે. તબીબોનું કહેવું છે કે, મુખ્યમંત્રીએ જે કહ્યું છે તેને લઇને તેમને અપેક્ષા ન હતા. સરકારી હોસ્પિટલમાં સુરક્ષા સંબંધિત માંગ પુરી થશે નહીં ત્યાં સુધી હડતાળ જારી રહેશે.બીજી બાજુ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દેખાવકારો ઉપર પ્રહાર કરતા કહ્યું છે કે, વિપક્ષી ભાજપ અને સીપીએમ દ્વારા ભડકાવવામાં આવ્યા બાદ તબીબો હડતાળ પાડી રહ્યા છે.

તબીબોની માંગ છે કે, યોગ્ય સુરક્ષા મળે તે જરૂરી છે. તમામ હોસ્પિટલમાં સશસ્ત્ર પોલીસ દળ તૈનાત કરવામાં આવે તે જરૂરી છે. ઉપરાંત એનઆરએસ હોસ્પિટલમાં શનિવારના દિવસે કરવામાં આવેલા હુમલામાં સામેલ રહેલા અપરાધીઓને બિનજામીનપાત્ર હેઠળ પકડી પાડવાની પણ માંગ કરવામાં આવી છે. દેશના અન્ય રાજ્યોમાં પણ તબીબો હડતાળ ઉપર ઉતરી ગયા છે. ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ જેવા રાજ્યોમાં તબીબો હડતાળ ઉપર ઉતરી ગયા છે. વારાણસીમાં ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ બીએચયુના તબીબો હડતાળ ઉપર છે. મહારાષ્ટ્ર એસોશિએશન રેસિડેન્ટ ડોક્ટર દ્વારા પણ હડતાળને સમર્થન અપાયું છે. રાજસ્થાનના તબીબો પણ હડતાળમાં આગળ આવ્યા છે.

Previous articleઅમદાવાદના હવામાનમાં એકાએક પલટો, અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ
Next articleગૃહમાં મનમોહનસિંહ અને દેવગૌડા આ વખતે નહીં રહે