અડતાળા ટોડાથી જરખિયાના રસ્તે માટીકામ, પુલ પ૦ લાખના ખર્ચે બનશે

521

લાઠી તાલુકાના અડતાલા ટોડા રોડથી જરખિયા ગામના રાજપરા પ્લોટ તરફ જવાના રસ્તે પુલ અને માટીકામ ૫૦ લાખના ખર્ચે બનાવવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપી વર્ક ઓડર ઈશ્યુ કરતા સ્થાનિક ધારાસભ્યની સફળ રજૂઆતના કારણે સ્થાનિક લોકોમાં આનંદ છવાયો,

લાઠી તાલુકામાં અડતાલા ટોડા થી જરખિયાના રાજપરા પ્લોટ વિસ્તારમાં રોડ તેમજ બ્રિજ નો હોવાથી રાજપરના સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવાની ફરજ પડતી હતી અહીંના લોકોને ટોડા જવામાં ભારે મુશ્કેલીઓ પડતી હતી અને ફરીફરીને જવું પડતું હતું

ત્યારે બાબરા લાઠીના ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમર તેમજ ઝરખીયા ગામના  વતની  રખયાલ ના ધારાસભ્ય પૂર્વ મંત્રી  વલ્લભભાઈ કાકડીયા ને સાથે રાખી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને યોગ્ય રજુઆત કરતા તાબડતોબ અહીં રોડ,બ્રિજ અને માટીકામ માટે રાજ્ય સરકાર દ્વારા ૫૦ રૂપિયાની ફાળવણી કરી વર્ક ઓડર ઈશ્યુ કરાતા ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમર અને વલ્લભભાઈ કાકડિયાની મહેનત રંગ લાવતા સ્થાનિક આગેવાનો દ્વારા આભારની લાગણી વ્યક્ત કરી હતી તેમજ બીજુબાજુ અહીં બ્રિજ અને રોડકામ શરૂ થતાં લોકોમાં હરખની લાગણી પ્રસરી ગઈ હતી

Previous article૧૧૬ બોટલ ઇગ્લીંશ દારૂ સાથે બે શખ્સોને ઝડપી લેતી એલસીબી
Next articleપીથલપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પડેલ જોરદાર વરસાદ