મારૂતિ યોગાશ્રમ શાળા દ્વારા ત્રિદિવસીય યોગ શિબિર

486

નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ, ભાવનગર સંચાલિત મારૂતિ યોગાશ્રમ વો.કો. શાળાનં.૮૩, મારૂતિ યોગ આશ્રમ ભોળાનાથ મંદિરનાં પટાંગણાં તા.૨૧મી જૂન પાંચમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજળણી અંતર્ગત તા.૧૯-૦૬ થી ૨૧-૦૬ ત્રિ દિવસીય યોગ શિબિર યોજાનાર છે. જેમાં ધો.૫ થી ૮ ના બાળકો જોડાશે.

જેનો સમય સવારના ૭-૩૦ થી ૮-૩૦ નો રાખવામાં આવેલ છે. નાના નાના ભૂલકાઓ યોગમાં રસ લેતા થાય અને તેનું મહત્વ સમજે તે ખૂબ જ જરૂરી છે. ભાગ લેનાર દરેક બાળકોને શાળા દ્વારા પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.આ ઉજવણી કાર્યક્રમમાં શાળાના અભ્યાસ કરતાબાળકોનાં વાલઓ તેમજ કાળીયાબીડ વિસ્તારના નગરજનો ઉપસ્થિત રહી સહભાગી થવા શાળા પરિવાર દ્વારા અનુરોધ કરેલ છે.

Previous articleકદંબગીરી ગામે વાડીમાં સંતાડેલ ઇગ્લીંશ દારૂનો જથ્થો ઝડપાયો
Next articleતંત્ર નિંદ્રામાં..!! દ્વારકામાં વાયુની આગાહી વચ્ચે દરિયા કિનારે પ્રવાસીઓની જોખમી સેલ્ફી