જિ.ભાજપ ૨૦૧૯ સંગઠન પર્વ અંગેની કાર્યકારોની મળેલી મહત્વની બેઠક

503

ભારતીય જનતા પાર્ટીનું ૨૦૧૯ સંગઠન મહાપર્વ મહોત્સવ અંગે આજે શિવશક્તિ હોલ ખાતે જિલ્લા ભાજપના કાર્યકરોની એક મહત્વપૂર્ણ બેઠક જિ.પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયાના અધ્યક્ષપદે મળેલ. આ બેઠકમાં ભાજપ પ્રદેશ દ્વારા પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, પ્રદેશમંત્રી અને ભાવનગર જિ.સંગઠન, પ્રભારી મહેશભાઇ કસવાલા, વિગેરે હાજર રહેલ.

આ બેઠકમાં સંગઠન ઇન્ચાર્જ મુકેશભાઇ લંગાળીયા, સંગઠનના બટુકભાઇ ધાંધલ્યા, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ ગાયત્રીબા સરવૈયા, આગેવાન દિલીપભાઇ શેટા, ભાજપ પ્રવક્તા કિશોરભાઇ ભટ્ટ, વિગેરે હાજર રહેલ. બેઠકમાં સંગઠન સભ્યોની નોંધણીની વાત કેવાય હતી. સંગઠનને વધુ મજબુત બનાવવા નવા સભ્યોની નોંધવી અને પ્રદેશની ગાઇડ લાઇન પ્રમાણે અન્ય કાર્યવાહિની ઘોષણા કરવામાં આવી હતી. ૫૦ ટકા નવા સભ્યોની નોંધણી મોબાઇલથી નોંધણી ૬ જુલાઇથી ૧૧ ઓગષ્ટ સુધીની આ ક્ષેત્રે થનારી કાર્યવાહીની વિગતો કાર્યકરોને આપવામાં આવેલ. આજની બેઠકમાં ભાજપના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પ્રદેશ હોદ્દેદારોએ પાર્ટીની ગાઇડ લાઇન અંગેની સમજણ આપી હતી.

Previous articleબાબરાના નાનીકુંડળ માધ્યમિક શાળામાં માત્ર એક શિક્ષિકા !
Next articleઆદસંગ ગામની યુવતિનું સુરતમાં વીજપોલમાં શોક લાગતા મોત થયું