પાણીની કટોકટી, નર્મદાની જળ સપાટીમાં દર કલાકે ૧ સેમિ.નો ઘટાડો

1040
gandhi2122018-4.jpg

સરદાર સરોવર નર્મદા બંધ ખાતે પાણીની સપાટીમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જે ઉનાળામાં રાજ્યમાં આવનાર જળ સંકટનો ઇશારો કરે છે. આજે સોમવારે સાંજે ૫ વાગ્યે ડેમ પર જળ સપાટી ૧૧૦.૬૮ મીટર નોંધાઇ હતી. ડેમ પર સપાટી ૧૧૦.૬૪ મીટર થાય એટલે સૌપ્રથમ તો કેનાલ હેડ પાવરના ૫૦ મેગાવોટના તમામ પાંચ યુનિટ બંધ કરવાની ફરજ પડશે એટલે રોજનું ૨૫૦ મેગાવોટ વીજ ઉત્પાદન બંધ થશે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં દર ઉનાળે પિવાના પાણીની સમસ્યા ઉભી થાય છે તેમ છતાં સૌરાષ્ટ્રમાં સ્થાનિક કક્ષાએ જ આ સમસ્યાનો ઉકેલ લાવવાના બદલે નર્મદા બંધમાંથી પાણી આપવામાં આવે છે અને તેના માટે ખાસ ઇરિગેશન બાયપાસ ટનલ બનાવામાં આવી છે. ડેમ પર સપાટી ૧૧૦.૬૪ મીટરથી નીચે જાય એટલે મુખ્ય કેનાલમાં પાણી પહોંચતુ બંધ થાય છે ત્યાર બાદ આ ખાસ ઇરિગેશન બાયપાસ ટનલ દ્વારા પાણી મુખ્ય કેનાલ સુધી પહોંચતુ કરાય છે.
ગુજરાતમાં પાણીની ગંભીર કટોકટી હોવાની વાતો સામે આવ્યા બાદ પણ પાણીને લઈ કોઈ ગંભીર હોય તેમ લાગતું નથી. આજે નર્મદા ડેમની જળસપાટીમાં દર કલાકે ૧ સેન્ટિમીટરનો ઘટાડો થઈ રહ્યો છે. દર કલાકે એક સેમી.નો ઘટાડો થઇ રહ્યો છે. આ ઘટાડો ગોળબોલે ગેટથી ૬૦૫ કયુસેક તેમજ બે ટર્બાઈનમાં પાણી વપરાતા થયો છે. આથી હાલ ડેમની સપાટી ૧૧૦.૫૭ છે.
નર્મદા ડેમમાં ઘટેલાં પાણીથી ઊભું થયેલું જળસંકટ નિવારવા ૧૭ વર્ષમાં પહેલી વાર સરદાર સરોવરની ઇરિગેશન બાયપાસ ટનલ (આઇબીપીટી) નો ઉપયોગ કરવામાં આવશે. ગુજરાત સરકારે નર્મદા ડેમના ડેડ સ્ટોરેજનું પાણી ઉપયોગમાં લેવા નર્મદા કન્ટ્રૉલ ઑથોરિટીને રજૂઆત કરી હતી, જેને પગલે ઑથોરિટીએ ૩૧ જુલાઈ સુધી ડેડ સ્ટોરેજનાં પાણીનો ઉપયોગ કરવા મંજૂરી આપી છે.

Previous articleવિધાનસભામાં શું ચાલી રહ્યું છે તે જાણવાનો પ્રજાને અધિકાર : પરેશ ધાનાણી
Next articleપ્રજાએ રાજય સરકારમાં મૂકેલા જનવિશ્વાસનું પ્રતિબિંબ પાડતું જનહિતકારી બજેટ છેઃ મુખ્યમંત્રી