અમદાવાદના બોપલમાં બંગલાની દિવાલ ધરાશાયી થતા એક જ પરિવારના ૪ સભ્યોના મોત

506

શહેરમાં બે દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદને પગલે શહેરનાં શેલામાં નિર્માણાધીન બંગલાની દિવાલ ધરાશાયી થતા એક જ પરિવારના ચાર લોકોનાં મોત થયા છે. રાતના લગભગ સાડા ત્રણ વાગ્યે દિવાલ પડવાને કારણે ચાર લોકો દટાયા હતાં. ત્યાર બાદ ફાયર વિભાગે બચાવ કામગીરી હાથ ધરીને દિવાલ નીચે દબાયેલા ચાર લોકોને સોલા સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતાં. જ્યાં તમામ ચાર લોકોને મૃત જાહેર કરવામાં આવ્યાં હતા.

આ અંગે મળતી માહિતી પ્રમાણે શહેરનાં સાઉથ બોપલના શેલામાં ક્લબર્ ં૭ રોડ પર આવેલા નિર્માણાધીન નિસર્ગ બંગલાની એક દિવાલ ધરાશાયી થઇ હતી. આ દિવાલ પડવાનો અવાજ આવતા સિક્યુરિટી ગાર્ડ દોડી આવ્યો હતો. ત્યાર બાદ તેમણે ફાયર વિભાગને જાણ કરી હતી. હાલ પરિવારજનોના સંબંધીઓનો સંપર્ક થઈ શક્યો નથી.

Previous articleગાંધીનગર નજીક ગાય સાથે અકસ્માત બાદ મૃત્યુ
Next articleગાંધીનગરથી ચોરેય યુવકો ચોટીલા જવાનું કહી નીકળ્યા હતા, ત્રણ યુવકે હત્યા કરી