રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભારત રત્ન લતામંગેશકરની લીધેલ શુભેચ્છા મુલાકાત

525

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ લત્તા દીદીના ઘરે જઈને તેમની શુભેચ્છા મુલાકાત લીધી હતી. દેશની બન્ને મહાન હસ્તી શુભેચ્છા મુલાકાત સૌ લોકો માટે આદર્શ કહી શકાય છે.

લત્તાદીદીના અંગત સચિવ મહેશભાઈ રાઠોડ આપણા વિસ્તારના છે. તેમની યાદી જણાવે છે કે રાષ્ટ્રપતિએ મુલાકાત પ્રત્યે ખુબ પ્રસન્નતા વ્યકત કરી હતી. ગુજરાતની યાદો તેમણે મહેશભાઈ સાથે વાગોળી હતી. બન્ને વચ્ચે વિચાર વિમર્શ થયો હતો.

લત્તાદીદીના સમગ્ર પરિવારજનો, રામનાથ કોવિંદજી તથા તમામ મહાનુભાવોની શુભેચ્છા મુલાકાત આનંદદાયક રહી હતી. મહેશભાઈ રાઠોડના જણાવ્યા પ્રમાણે બન્નેની મહાનતા તથા ઉચ્ચતા પ્રમાણે તેમની સરળતા વંદનીય છે.

Previous articleરાજુલામાં લાયન્સ કલબથી સ્થાપના સાગરભાઈ સરવૈયાની પ્રમુખપદે વરણી
Next articleધોલેરા, ધંધુકા તાલુકામાં દવાઓનુ વિતરણ તથા છંટકાવ કામગીરી શરૂ