મલાઇકા અરોરા સાથે હવે અર્જુન વધુ રોમેન્ટિક થયો

494

અર્જુન કપુર અને મલાઇકા અરોરા ખાન લાંબા સમયથી એકબીજાના પ્રેમમાં છે અને બંને એક સાથે સતત નજરે પડી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી બંને સાથે દેખાઇ રહ્યા હોવા છતાં સંબંધને લઇને કોઇ ખાસ વાત બહાર આવી રહી નથી. જો કે હવે અર્જુન કપુરે ફોટો પોસ્ટ કરીને જે ચીજો લખી છે તેનાથી સાબિત થઇ  ગયુ છે કે બંને એકબીજાના ગળા ડુબ પ્રેમમાં છે. રોમેન્ટિક થયેલા અર્જુન કપુરે કેટલીક બાબતોને ઉલ્લેખ કર્યો છે. તેનુ કહેવુ છે કે દો દિલ મિલ રહે હે. તેના ફોટો પોસ્ટ બાદ હવે એક બાબત નક્કી થઇ ગઇ છે કે તેમની વચ્ચે સંબંધ છે. હાલમાં પણ બંને વિદેશમાં સમય ગાળી રહ્યા છે. બંને સોશિયલ મિડિયા પર હોલિડેના ફોટો અને વિડિયો મુકી રહ્યા છે. દરમિયાન અર્જુન કપુરે પોતાના ઇન્સ્ટા સ્ટોરી પર એક પોસ્ટ કરીને તમામને વિચારતા કરી દીધા છે. બંનેના લગ્નને લઇને હાલમાં અહેવાલો પણ આવતા રહ્યા છે. જો કે મલાઇકા અરોરાએ લગ્ન અંગેના તમામ અહેવાલોને રદિયો આપ્યો હતો. તેનુ કહેવુ છે કે તમામ સારી બાબતો દિમાગની મનોદસા પર આધારિત રહે છે. લગ્ન અંગેના હેવાલને મલાઇકાએ રદિયો આપ્યો હતો. જો કે મલાઇકાએ અર્જુન કપુર  સાથે ખુબ ખુશ હોવાની વાત કરી હતી. તેનુ કહેવુ છે કે તે વધારે ખુલાસા સંબંધને લઇને કરવા માટે ઇચ્છુક છે. દરેક વ્યક્તિ અંદાજ લગાવી શકે છે. તેમને રોકી શકવાની વાત કોના હાથમાં નથી.

સેક્સી સ્ટાર મલાઇકા અરોરા ખાને કહ્યુ છે કે હાલમાં લગ્ન કરવાની કોઇ યોજના નથી. જ્યારે પણ લગ્ન કરશે ત્યારે સત્તાવાર રીતે જાહેરાત કરશે. મલાઇકા સાથે સંબંધના કારણે અર્જુન કપુર હાલમાં ફિલ્મો પણ ખુબ ઓછી કરી રહ્યો છે. જો કે બોની કપુર પોતાના પુત્ર અર્જુન કપુરને લઇને કેટલાક પ્રોજેક્ટ પર કામ કરવા માટે તૈયાર દેખાઇ રહ્યા છે.

Previous articleભાવનગરમાં ઠેર-ઠેર શોભાયાત્રા સાથે ગણેશજીનું ભવ્ય આગમન
Next articleતારા સુતારિયા ટુંક સમયમા તડપનુ શુટિંગ કરવા ઇચ્છુક