બોટાદ જિલ્લાના રાણપુર એ.પી.એમ.સી.ની ચુંટણી ૧૪ વર્ષ બાદ પ્રથમવાર આવતા ૩૬ ખેડુત ઉમેદવાર અને ૧૨ વેપારી કુલ મળીને ૪૮ ઉમેદવારોએ ફોર્મ ભરાયા હતા.જ્યારે આજે ૭ સપ્ટેમ્બર ફોર્મ પાછા ખેંચવાની તારીખ હોય જેમાં ૩૬ ખેડુત ઉમેદવારોમાંથી ૧૫ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચતા ખેડુતમાંથી ૨૧ ઉમેદવારો રહ્યા છે જ્યારે ૧૨ વેપારીઓમાંથી ૭ વેપારીઓએ પોતાની ઉમેદવારી પાછી ખેંચતા વેપારીમાંથી ૫ ઉમેદવારો રહ્યા છે.ખેડુતમાંથી ૨૧ અને વેપારીમાંથી ૫ કુલ મળી ૨૬ ઉમેદવારો સાથે હવે ચિત્ર સ્પષ્ટ થઈ જતા હવે ચુંટણી માં વધુ ગરમાંવો આવશે.તારીખ-૧૭.૯.૨૦૧૯ ના રોજ રાણપુર એ.પી.એમ.સી.ખાતે ચુંટણી યોજાશે અને ૧૮.૯.૨૦૧૯ ના રોજ મતગણતરી કરવામાં આવશે..