દામનગર ખાતે કાચા મકાનોની દિવાલો ધરાશાઈ

487

લાઠી તાલુકા ના મૂળિયાપાટ સહિત દામનગર માં કાચા મકાનો ની દીવાલો ધરાશય ગઈકાલે નવી મૂળિયાપાટ માં સાંજના જોરદાર ૨. ઇંચ વરસાદ  પડતા રાત્રીના ૧૦-૦૦  કલાકે જીણાભાઈ શંભુભાઈ બુધેલીયા ઉંમર ૬૫ વર્ષ ના રહેણાંક કાચા મકાન ની દીવાલ સાથે ખડકી પણ ધરાશયી થઈ અને આજે ૧૨–૦૦ વાગ્યે ઢોરના ફરજાની દીવાલ ધરાશયી થઈ માલીક અને ઢોરનો આબાદ બચાવ થયો મૂળિયાપાટ ના જીણાભાઈ બુધેલીયા ના મકાન દીવાલ અને બાદ માં ઢોર નો ફરજો ધરાશય અને દામનગર શહેર ના સીતારામનગર માં ચુડાસમા મુસાભાઈ ના મકાન ની દીવાલ રાત્રી એ બાળકો સહીત પરિવાર સુતા હતા ત્યારે દીવાલ ધરાશય થઈ સદનસીબે કોઈ ને ઇજા થયેલ નથી પંદર દિવસ થી સતત એક રાઉન્ડ વરસાદ વરસવા થી કાચા મકાનો ની દીવાલો ધરાશય થવા ના અનેક બનાવો બનવા બનવા પામેલ છે ઘણી જગ્યા એ કાચા મકાનો ની દીવાલો નમી જવા અને તિરાડો પડી જવા ના કિસ્સા ઓ બન્યા છે

Previous articleરાણપુરમાં જલજીલણી એકાદશીની ભવ્ય નગરયાત્રા નિકળી
Next articleરાણીવાડા ગામે ચાર લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારૂનો જથ્થો ઝડપતી પોલીસ