નિલમબાગ પાસે આવેલ રાજ ખોડીયાર રેસ્ટોરન્ટમાં આગ

620

ભાવનગર શહેરના નિલમબાગથી દેરી રોડ પર જવાના રસ્તા પર રાજ ખોડીયાર રેસ્ટોરન્ટ પર અચાનક ૬.૪પ કલાકે આગ લાગી જતાં સત્યજીતસિંહએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરબ્રિગડે તાત્કાલિક કાફલો ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લીધી હતી. આગ રાજ ખોડિયાર રેસ્ટોરન્ટના રસોટમાં લાગી હતી. જયાં તેનો રસોઈ બનાવવાનો સમાન, ફ્રીઝ, એસી વિગેરે બળીને ખાખ થઈ ગયું હતું.  ફાયર બ્રિગેડની એક ગાડીનો છંટકાવ કરવી આગને કાબુમાં લીધી હતી.

Previous articleસુખભાદર ડેમ ઓવરફલો થતાં ડેમના ત્રણ દરવાજા એક ફુટ સુધી ખોલાયા
Next articleગણપતિ પર્વની ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરતા ભાવિકો