ગણપતિ મહોત્સવનો આજે છેલ્લો દિવસ : ઠેર-ઠેર વિસર્જન યાત્રા

605

ભાવનગર શહેરમાં ગણેશ મહોત્સવની ઉજવણી અંતિમ ઘડીએ પહોંચી છે અને છેલ્લા  દિવસથી ગણેશ ઉત્સવમાં મેઘરાજાનું વિધ્ન ન આવવા ઠેર-ઠેર ભારે ભીડ થઈ રહી છે અને આયોજકો પણ ઉત્સાહીત જોવા મળી રહ્યા છે અને ભાવિકો ગણેશજીની ભકિતમાં મગ્ન બની રહ્યા છે. શહેરનાં વિવિધ વિસ્તારોમાં ગણેશ મહોત્સવનાં ભવ્ય આયોજન કરવામાં આવ્યા છે. જેમાં શહેરનાં મેઘાણી સર્કલ ખાતે મહાકાળી માતાજીનાં મંદિરે મિત્ર મંડળ દ્વારા ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને મેઘાણી સર્કલનાં રસ્તાઓ પર પણ શણગાર કરવામાં આવ્યો છે.  સુભાષનગર ખાતે સિધ્ધી વિનાયક વિકાસ સમિતિ દ્વારા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.  તેમજ દરબાર કોઠાર ખાતે આવેલ કોઠારા કા રાજા દ્વારા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જયાર આરતી સહિત અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાય છે.  સુભાષનગર વિસ્તારમાં આવેલ માં અંબે ગૃપ દ્વારા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ઘોઘાસર્કલ વિસ્તારમાં આવેલ સેતુબંધ મિત્ર મંડળ દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જયાં દરરોજ મહા આરતી થાળ સહિત અનેક ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઈ રહ્યા છે.  હિલડ્રાઈવ વિસ્તારમાં  વિઘ્નનાશક ગૃપ દ્વારા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.  આજે અંતિમ દિવસે હોવાથી ગણપતિના દર્શન કરવા ભાવિકો ભીડ જોવા મળી હતી. અને  આજે ઠેર-ઠેર વિસર્જન યાત્રા નિકળશે.

Previous articleજરૂરિયાતમંદ લોકોની વચ્ચે રહીએ તો અંતરઆત્મા સદા જીવતો રહે છે અને સેવાકિય કાર્યો કરવા બળ મળે છે- જીતુભાઇ વાઘાણી
Next articleહવે જુલિયા રોબર્ટસના લગ્ન જીવનમાં વિખવાદ છે